બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Health tips skincare for a home must try

Health Tips / ચહેરા પર નિખાર જોઇતો હોય તો અજમાવો આ આયુર્વેદિક ઉપાય

Kavan

Last Updated: 11:56 PM, 23 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડીની સીઝનમાં વાળ અને ત્વચા જ્યારે ડ્રાય થઇ જાય ત્યારે તેલ માલિશ કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર નાભિ શરીરની તમામ ક્રિયાઓને નિયંત્રિત કરે છે. નાભિમા તેલ લગાવવાથી સુંદર ત્વચાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક છે.

મણિપુરક ચક્ર (નાભિ)થી પેનક્રિયાઝ રસ સક્રિય થાય છે. તેનાથી પાચનતંત્ર અને હોર્મોનલ સંતુલન યોગ્ય રહે છે. જ્યારે નાભિ સુકાય છે ત્યારે ગેસ, એસિડીટી, ડાયાબીટીસ જેવી સમસ્યાઓ થાય છે. નાભિમા તેલ લગાવવાથી આવી સમસ્યાઓથી બચાવ થાય છે. તમને ખ્યાલ હોય તો નાના બાળકોને પેટનો દુખાવો થાય ત્યારે નાભિમા તેલ લગાવતા. ક્યારેક તેની આસપાસ હિંગ લગાવતા. આજે પણ મોટાઓને પેટમાં દુખાવો થતો હોય ત્યારે નાભિની આસપાસ બામ લગાવવાથી પેટમા રાહત થાય છે.

ખીલ દુર કરવા કે નિખાર માટે...

જો તમને ખીલની સમસ્યા સતાવતી હોય તો રાત્રે સુતા પહેલા બે ટીપા લીમડાના તેલના નાભિમા લગાવીને સુવો. ચહેરા પર ડાઘ- ધબ્બા કે ખીલની સમસ્યામાંથી રાહત મળે છે. તમારે ત્વચામાં નિખાર જોઇતો હોય તો નાભિમાં બે ટીપા બદામના તેલના લગાવો.

સાંધામા દુખાવો હોય તો...

સાંધામા દુખાવો કે શરીરમા સોજો હોય અથવા ફાટેલા હોઠની સમસ્યા હોય તો સરસવનુ તેલ લગાવો. સરસવનુ તેલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ હોય છે. નાભીમા જામેલા મેલ સાથે લાગેલા જીવાણુઓને નષ્ટ કરવાની સાથે ગેસ, અપચો અને પેટના દુખાવામાં પણ તે અસરકારક છે.

માસિક વખતે અસહ્ય દુખાવો થતો હોય ત્યારે ફુદીના અને આદુનુ તેલ નાભિમા લગાવો અને પેટ પર હળવા હાથે મસાજ કરો ખંજવાળ કે પીસીઓડીની પરેશાની હોય તો સરસવનુ તેલ અને શરદી, ઉધરસ કે તાવ આવ્યો હોય પણ સરસવનું તેલ લગાવી શકાય.

સંકળાયેલા મુદ્દાઓ

Home Remedies health tips skincare ગુજરાતી ન્યૂઝ હેલ્થ ટીપ્સ Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ