ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
મણિપુરક ચક્ર (નાભિ)થી પેનક્રિયાઝ રસ સક્રિય થાય છે. તેનાથી પાચનતંત્ર અને હોર્મોનલ સંતુલન યોગ્ય રહે છે. જ્યારે નાભિ સુકાય છે ત્યારે ગેસ, એસિડીટી, ડાયાબીટીસ જેવી સમસ્યાઓ થાય છે. નાભિમા તેલ લગાવવાથી આવી સમસ્યાઓથી બચાવ થાય છે. તમને ખ્યાલ હોય તો નાના બાળકોને પેટનો દુખાવો થાય ત્યારે નાભિમા તેલ લગાવતા. ક્યારેક તેની આસપાસ હિંગ લગાવતા. આજે પણ મોટાઓને પેટમાં દુખાવો થતો હોય ત્યારે નાભિની આસપાસ બામ લગાવવાથી પેટમા રાહત થાય છે.
ADVERTISEMENT
ખીલ દુર કરવા કે નિખાર માટે...
જો તમને ખીલની સમસ્યા સતાવતી હોય તો રાત્રે સુતા પહેલા બે ટીપા લીમડાના તેલના નાભિમા લગાવીને સુવો. ચહેરા પર ડાઘ- ધબ્બા કે ખીલની સમસ્યામાંથી રાહત મળે છે. તમારે ત્વચામાં નિખાર જોઇતો હોય તો નાભિમાં બે ટીપા બદામના તેલના લગાવો.
ADVERTISEMENT
સાંધામા દુખાવો હોય તો...
સાંધામા દુખાવો કે શરીરમા સોજો હોય અથવા ફાટેલા હોઠની સમસ્યા હોય તો સરસવનુ તેલ લગાવો. સરસવનુ તેલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ હોય છે. નાભીમા જામેલા મેલ સાથે લાગેલા જીવાણુઓને નષ્ટ કરવાની સાથે ગેસ, અપચો અને પેટના દુખાવામાં પણ તે અસરકારક છે.
ADVERTISEMENT
માસિક વખતે અસહ્ય દુખાવો થતો હોય ત્યારે ફુદીના અને આદુનુ તેલ નાભિમા લગાવો અને પેટ પર હળવા હાથે મસાજ કરો ખંજવાળ કે પીસીઓડીની પરેશાની હોય તો સરસવનુ તેલ અને શરદી, ઉધરસ કે તાવ આવ્યો હોય પણ સરસવનું તેલ લગાવી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો