જો તમે વર્કઆઉટ કરતા હોય અને મસલ્સ બનાવવા ઇચ્છતા હોય તો માત્ર એક્સર્સાઇઝ પુરતી નથી. આ માટે તમારે વર્કઆઉટ પહેલા અને પછીના ડાયેટનું પણ ધ્યાન રાખવું પડે છે.
વર્કઆઉટ બાદ શરીર સામાન્ય તાપમાનમાં પાછુ ફરે ત્યારે પૌષ્ટિક આહાર લેવો જોઇએ. તેનાથી શરીરમાં ઘટેલા ગ્લાઇકોજનનું સ્તર વધે છે અને માંસપેશીઓ મજબુત બને છે.
આહારમાં પર્યાપ્ત કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન હોવું જોઇએ. ફેટ વાળી વસ્તુઓ આ દરમિયાન લેવી સહેજ પણ જરુરી નથી. કેમકે શરીરમાં પહેલેથી ફેટની માત્રા પર્યાપ્ત હોય છે. વર્કઆઉટ પહેલા અટલેકે પ્રિવર્કઆઉટ ડાયેટમાં એનર્જી માટે કાર્બોહાઇડ્રેટ વાળી વસ્તુઓ લેવી જોઇએ.
આ માટે એક કે બે કેળા અથવા બ્રાઉન બ્રેડ લઇ શકાય છે. વર્કઆઉટ બાદ શરીરને પર્યાપ્ત માત્રામાં પાણીની જરુર પડે છે. સૌથી પહેલા દુધ, છાશ અને સુપ વગેરે લઇ શકાય છે. કોફી કે ચા બિલકુલ ન પીવો.
ઇંસ્યુલિન જરુરી
છાશથી શરીરમાં ઇંસ્યુલિનની કમી મહેસુસ થતી નથી. માંસપેશીઓને ગ્લુકોઝનું શોષણ કરવામાં પણ મદદ મળે છે. માંસપેશીઓને જરુરી એમિનો એસિડ પણ મળે છે. આ માટે તમે દુધમાંથી બનેલી વસ્તુઓ કે ઇંડા પણ લઇ શકો છો.
પોટેશિયમ પણ જરુરી
મસલ્સ માટે પર્યાપ્ત માત્રામાં પાણી જરુરી છે. આ ઉપરાંત માંસપેશીઓની મજબુતાઇ માટે ઓમેગા 3 ફેટી એસિડ યુક્ત ચીજો ખાણીપીણીમાં સામેલ કરો. તેનાથી મેટાબોલિઝમ પણ વધે છે. આ કારણે શરીરમાં ફેટ ઝડપથી ઘટે છે.
આહારમાં ઘઉંના ફાડા, સ્પ્રાઉટ્સ અને સલાડ સામેલ કરો. તેમાં ફાઇબર, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ભરપુર માત્રામાં હોય છે. કેળામાં પોટેશિયમ હોય છે. તે મસલ્સને મજબુત કરવામાં મદદ કરે છે.