બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 9માંથી 1 ભારતીય કોઈ ને કોઈ બીમારીના લપેટામાં, ICMRના રિપોર્ટમાં સ્તબ્ધ થઈ જાય તેવા ખુલાસા
Last Updated: 11:01 AM, 5 November 2025
ICMR Report: ભારતમાં સંક્રમણનું જોખમ સતત વધી રહ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના એક અહેવાલમાં ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, દેશમાં દર નવમાંથી એક વ્યક્તિ કોઈને કોઈ ચેપી સંક્રામક બીમારી છે. ICMRએ આ માહિતી તેના વાયરસ રિસર્ચ અને ડાયગ્નોસ્ટિક લેબ નેટવર્કના ડેટાના આધારે આપી છે. ચાલો જાણીએ કે દર નવમાંથી એક ભારતીય કોઈને કોઈ રોગથી સંક્રમિત કેવી રીતે છે અને ICMRના ચોંકાવનારા અહેવાલમાં શું ખુલાસો થયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ICMRના રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરીથી માર્ચ 2025 વચ્ચે લેવાયેલા 2,28,856 સેમ્પલમાંથી 24,502 એટલે કે 10.7 ટકામાં સંક્રમણ મળી આવ્યું છે. જ્યારે એપ્રિલથી જૂન 2025 વચ્ચે 2,26,095 સેમ્પલમાંથી 26,055 એટલે કે 11.5 ટકા સંક્રમણ મળી આવ્યું છે. આનો અર્થ એ છે કે સંક્રમણ દરમાં 0.8 ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટ પ્રમાણે, દેશમાં સંક્રામક બીમારીઓ સતત વધી રહી છે અને જો સમયસર અસરકારક પગલાં નહીં લેવામાં આવ્યા તો આવનાર સમયમાં એક મોટું સ્વાસ્થ્ય સંકટનું કારણ પણ બની શકે છે.

ADVERTISEMENT
ICMR રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારતમાં સૌથી વધુ નોંધાયેલા સંક્રમણમાં ઇન્ફલ્યુએન્ઝા A, ડેન્ગ્યુ, હેપેટાઇટિસ A, નોરોવાયરસ અને હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ સામેલ છે. આ બીમારીઓના કારણે લોકોને શ્વાસ લેવા સંબંધિત સંક્રમણ, કમળો, ઝાડા અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનું જોખમ વધી રહ્યું છે. ICMRના રિપોર્ટ અંગે, નિષ્ણાતોનું કહેવું છે કે સંક્રમણના દરમાં વધારો ભલે નજીવો દેખાઈ રહ્યો હોય, પરંતુ તેને અવગણી શકાય નહીં. તે મોસમી બીમારીઓઅને નવા સંક્રમણ માટે અર્લી વોર્નિંગ તરીકે કામ કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે જો સંક્રમણના ત્રિમાસિક ડેટા પર નજર રાખવામાં આવે તો ભવિષ્યમાં રોગચાળાની સ્થિતિને અટકાવી શકાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વિચાર તો આવ્યો હશે! ઘરે, ઓફિસ કે રસ્તામાં એકલા હોય અને હાર્ટ એટેક આવે તો શું કરવું? 10 પગલાં બચાવશે જીવ
ADVERTISEMENT
ICMR પ્રમાણે, વર્ષ 2014થી 2024 દરમિયાન દેશભરમાં 40 લાખથી વહુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 18.8 ટકા સેમ્પલમાં સંક્રમણ પેદા કરનાર વાયરલ મળ્યા છે. જ્યારે નિષ્ણાતો માને છે કે સંક્રમણ દરમાં વધારો થવાના મુખ્ય કારણોમાં ઝડપી શહેરીકરણ, ભીડભાડ, સ્વચ્છતાની કમી અને આબોહવા પરિવર્તન સામેલ છે, જે વાયરસ અને બેક્ટેરિયાના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં સંક્રામક રોગોના કેસોનું સતત નિરીક્ષણ થઈ રહ્યું છે. આ સિવાય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ વધતો સંક્રમણ દર ભવિષ્યમાં દેશની સ્વાસ્થ્ય સંભાળ વ્યવસ્થાને ભારે પડી શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.