ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટાનો દોર શરૂ થયો છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. જેને લઇને ત્રણેય પાર્ટીઓએ મતદારોનો વિશ્વાસ જીતવા કવાયત હાથ ધરી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રભૂત્વ જમાવવા માટે કોઇ કસર બાકી રાખવા માંગતુ નથી. આપ પણ નેતાઓને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરે છે ત્યારે આમ આદમી પાર્ટીમાં વધુ એક ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિ જોડાયા હોવાનું સામે આવ્યું છે.
કુસ્તીબાજ રવિ પ્રજાપતિ પરિવાર સાથે AAPમાં જોડાયા
ADVERTISEMENT
જી, હા , ગુજરાતના ખલી તરીકે ઓળખાતા રવિ પ્રજાપતિ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમદાવાદમાં નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ રવિ પ્રજાપતિને આપમાં આવકાર્યા છે. રવિ પ્રજાપતિ પરિવાર સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે.

ADVERTISEMENT
કોણ છે રવિ પ્રજાપતિ ?
ADVERTISEMENT
દહેગામમાં 200 કાર્યકરો આપમાં જોડાયા
દેહેગામ શહેરમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં 200 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા. નિલકંઠ મહાદેવ મંદિર પરિસર ખાતે પાર્ટીમાં કાર્યકરોને જોડવાનો કાર્યક્રમ યોજાયો હતો. દહેગામ તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ અને ઝાક ગામના સરપંચ સુહાગભાઈ પંચાલની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સચિવ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે દહેગામમાં ઝાડુ ફરી વળે અને દહેગામમાંથી ભાજપ અને કોંગ્રેસની ગંદકી સાફ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં આપની જીત થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ