બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / તમારા કામનું / વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવા નવી પશુપાલન સહાય યોજના જાહેર, આ રીતે ઉઠાવો લાભ
Last Updated: 08:22 AM, 27 May 2026
Animal Husbandry Scheme : ગુજરાત સરકાર દ્વારા રાજ્યની વિધવા બહેનોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે પશુપાલન આધારિત વિશેષ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ મહિલાઓને ગાય-ભેંસ પાલન, બકરાં પાલન અને મરઘાં પાલન માટે આર્થિક સહાય આપવામાં આવશે, જેથી તેઓ સ્વરોજગાર શરૂ કરીને પોતાનું જીવન વધુ મજબૂત બનાવી શકે.
ADVERTISEMENT
આવો જાણીએ યોજના વિશે સંપૂર્ણ માહિતી
આ યોજનાનો લાભ રાજ્યની કોઈપણ જાતિની 18 થી 50 વર્ષ વયની વિધવા બહેનો મેળવી શકશે. સરકાર દ્વારા દર વર્ષે યોજનાના ત્રણ અલગ-અલગ યુનિટ પૈકી કોઈ એક યુનિટ માટે સહાય આપવામાં આવશે. મહત્વની બાબત એ છે કે, એક જ પ્રકારના યુનિટનો પુનઃલાભ મેળવવા માટે પાંચ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઉપરાંત અગાઉ સમાન પ્રકારની અન્ય યોજના હેઠળ સહાય મેળવી ચૂકેલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં.
ADVERTISEMENT
વિધવા બહેનો પશુપાલન થકી આત્મનિર્ભર બને તે માટે ગુજરાત સરકારની વિશેષ યોજના!
— Department of Animal Husbandry, Gujarat (@DoahGujarat) May 26, 2026
મળવાપાત્ર સહાય:
ગાય-ભેંસ માટે: ₹૩૫,૨૦૦/-
બકરાં પાલન: ₹૫૦,૪૦૦/-
મરઘા પાલન: ₹૩૮,૦૦૦/-
લાયકાત: ૧૮ થી ૫૦ વર્ષ
અરજી: iKhedut પોર્ટલ પર
હેલ્પલાઇન: ૧૯૬૨#Gujarat #ikhedut #WomenEmpowerment pic.twitter.com/HOiyGDmDji
વિગતો મુજબ યોજનાના પ્રથમ યુનિટ હેઠળ ગાય અથવા ભેંસ પાલન માટે કેટલ શેડ બનાવવા રૂ. 30 હજારની સહાય આપવામાં આવશે. સાથે પશુ માટે 150 કિલો ખાણદાણ માટે રૂ. 4 હજાર અને બિયારણ મીનીકીટ માટે રૂ. 600ની સહાય મળશે. આ રીતે કુલ મળીને આશરે રૂ. 35,200 સુધીની સહાય ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT
બીજા યુનિટ હેઠળ બકરાં પાલન માટે 5+1 એકમ સ્થાપવા રૂ. 50,400 સુધીની સહાય આપવામાં આવશે. જ્યારે ત્રીજા યુનિટમાં મરઘાં પાલન માટે તાલીમ સાથે 100 બ્રોઈલર પક્ષીઓના એકમ સ્થાપન માટે કુલ રૂ. 38 હજારની સહાય આપવામાં આવશે. જેમાં તાલીમ દરમિયાન રૂ. 2 હજારનું સ્ટાઈપેન્ડ પણ સામેલ છે.
આ પણ વાંચો : પશુપાલકો માટે મોટી તક! ખુદ સરકાર આપશે સહાય, બસ અરજી કરો IKHEDUT પોર્ટલ પર
ADVERTISEMENT
આ યોજના માટે અરજીઓ iKhedut પોર્ટલ ( https://ikhedut.gujarat.gov.in/site/scheme/viewdetails ) પર ઓનલાઈન સ્વીકારવામાં આવી રહી છે. અરજી પ્રક્રિયા 1 મે, 2026થી શરૂ થઈ ચૂકી છે અને 31 મે, 2026 સુધી ચાલુ રહેશે. વધુ માહિતી માટે રાજ્ય સરકારની હેલ્પલાઈન નંબર 1962 પર સંપર્ક કરી શકાય છે. સરકારની આ પહેલથી વિધવા બહેનોને પશુપાલન ક્ષેત્રમાં રોજગારીની નવી તક મળશે અને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણને પણ પ્રોત્સાહન મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.