બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / કોલેસ્ટ્રોલ ઓછું કરી નાખીને નસોની ગંદકી કાઢી નાખશે, આ એક જ ફળ કાફી, આજે ચાલુ કરો
Last Updated: 01:40 PM, 17 November 2025
જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે ત્યારે તે રક્તવાહિનીઓ સાથે ચોંટી જાય છે. આનાથી લોહીના પ્રવાહ પર અસર પડે છે અને લોહી શરીરના વિવિધ ભાગો સુધી યોગ્ય રીતે પહોંચી શકતું નથી. હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટ અટેક, સ્ટ્રોક, વેરિકોઝ નસો, સ્થૂળતા અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારે છે.
ADVERTISEMENT
આવી સ્થિતિમાં સમયસર હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડવું મહત્વનું છે. જામફળ એક એવું ફળ છે જે ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલ ઓછું થવા લાગે છે. અહીં જાણો જામફળ ખરાબ કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડે છે અને ફાયદા જોવા માટે દરરોજ કેટલા જામફળ ખાવા જોઈએ.

ADVERTISEMENT
જામફળમાં રહેલું દ્રાવ્ય ફાઈબર પેક્ટીન શરીરમાં કોલેસ્ટ્રોલ શોષાઈ જતું અટકાવે છે, જેના કારણે LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ નેચરલી ઓછું થાય છે.
ADVERTISEMENT
જામફળ વિટામિન સી જેવા એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે. તમને નારંગી કરતાં તેનાથી વધુ વિટામિન સી મળે છે. વધુમાં, જામફળ રક્તવાહિનીઓને સુરક્ષિત કરે છે અને ઓક્સિડેટીવ તણાવ અટકાવે છે.
ADVERTISEMENT
જામફળમાં ભરપુર માત્રામાં ફાઇબર જોવા મળે છે. જેના કારણે બ્લડ સુગર ઝડપથી વધતી નથી. જામફળમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને એક્ટિવ રાખે છે.

ADVERTISEMENT
જામફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ફાઇબર સારા આંતરડાના બેક્ટેરિયાને પણ ટેકો આપે છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સવારની આ 7 આદતો પેટનો ચૂરો બોલાવી નાખશે! ડોક્ટરે શેર કર્યું લિસ્ટ, ખતરો ઓળખી લેજો
દિવસમાં એક મધ્યમ કદનું જામફળ ખાવું પૂરતું છે. જો ઓર્ગેનિક હોય તો તેને છાલ સહિત ખાઈ શકાય. જામફળ ખાવાનો યોગ્ય સમય સવારે 10–11 વાગ્યે અથવા સાંજે 4 વાગ્યે નાસ્તામાં છે. ભારે ભોજન સાથે અથવા દૂધ પીધા પછી જામફળ ન ખાવું, કારણ કે તે પાચનમાં તકલીફ આપી શકે છે.
(DISCLAIMER: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.