બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:52 PM, 1 June 2026
સોમવારે કોલકાતાના રાજભવનમાં પશ્ચિમ બંગાળ સરકારના કેબિનેટ વિસ્તરણ દરમિયાન રાજ્યપાલ આર. એન. રવિએ 35 નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ વિસ્તરણ બાદ રાજ્ય સરકારમાં કુલ મંત્રીઓની સંખ્યા 41 થઈ ગઈ છે. શપથ લેનારા નેતાઓમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ અશોક ડિંડાનું હતું. ક્રિકેટમાંથી રાજકારણમાં આવેલા ડિંડાએ વર્ષ 2021માં પ્રથમ વખત ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતીને વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી તેમણે વિપક્ષના ધારાસભ્ય તરીકે કામ કર્યું હતું.
ADVERTISEMENT
આ વર્ષે ફરી એકવાર મૈના વિધાનસભા બેઠક પરથી મોટી જીત મેળવ્યા બાદ પાર્ટીએ તેમની મહેનત અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેમને સીધા કેબિનેટમાં સ્થાન આપ્યું છે. મંત્રી તરીકે શપથ લીધા બાદ તેમના સમર્થકો અને ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શપથ સમારોહ બાદ મીડિયા સાથે વાત કરતાં અશોક ડિંડા ભાવુક બની ગયા હતા. તેમણે કહ્યું કે આ પાંચ વર્ષના સંઘર્ષ અને મહેનતનું પરિણામ છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષમાં રહેતા સમયે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT

ડિંડાના જણાવ્યા મુજબ લોકોને મળવા માટે રેલીઓ યોજવાની પણ મંજૂરી મળતી નહોતી. તેમના વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને અનેક વખત હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું કે આ હુમલાઓમાં તેઓ પોતે પણ ઘાયલ થયા હતા પરંતુ તેમણે ક્યારેય હાર માની નહોતી. હવે સૌની નજર એ બાબત પર છે કે અશોક ડિંડાને કયું ખાતું સોંપવામાં આવશે. પૂર્વ ક્રિકેટર હોવાના કારણે ઘણા લોકો માની રહ્યા હતા કે તેમને રમતગમત વિભાગ મળી શકે છે. જોકે આ વિભાગ પહેલેથી જ અન્ય મંત્રી પાસે હોવાને કારણે ડિંડાને કોઈ અન્ય મહત્વપૂર્ણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ટોપી ઉતારી, હાથ જોડ્યાં..., ઓરેન્જ કેપ મળ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ કેમ આવું કર્યું?
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા મુજબ તેમને યુવાનો રમતગમત વિકાસ અથવા અન્ય જાહેર હિત સાથે જોડાયેલા વિભાગોમાંથી કોઈ મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી શકે છે. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નાણાં અને માહિતી-સંસ્કૃતિ જેવા મહત્વપૂર્ણ વિભાગો પોતાની પાસે જ રાખી શકે છે.અશોક ડિંડાનું ક્રિકેટમાંથી રાજકારણ સુધીનું આ સફર ઘણા યુવાનો માટે પ્રેરણારૂપ માનવામાં આવી રહી છે. ક્રિકેટ મેદાન પર દેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ હવે તેઓ રાજકીય ક્ષેત્રમાં લોકોની સેવા કરવા માટે તૈયાર છે. હવે જોવાનું રહેશે કે મંત્રી તરીકે તેઓ પોતાની નવી જવાબદારી કેવી રીતે નિભાવે છે અને રાજ્યના વિકાસમાં શું યોગદાન આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.