બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : મંત્રી સામે ચોધાર આંસુએ રડ્યાં વૃદ્ધા, આ દર્દ ફક્ત ખેડૂત જ સમજી શકે
Last Updated: 05:00 PM, 31 October 2025
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જસદણ અને વિંછીયા પંથકના માવઠાના લીધે ખેડૂતોને થયેલ નુકસાનીનું નિરીક્ષણ કરવા માટે જસદણ અને વિંછીયા પંથકની વાડી વિસ્તારમાં જઈને ખેડૂતોને થયેલ નુકસાનીનો ત્યાગ મેળવો હતો .
ADVERTISEMENT

ખેડૂતોને ત્રણ પ્રકારની મોટી નુકસાની જોવા મળી. જે ખેડૂતોએ મગફળી વાડી માંથી ઉપાડી લીધી હતી. તે મગફળી માવઠા ના કારણે સંપૂર્ણ રીતે ફેલ થયેલ તેમજ જે ખેડૂતોએ મગફળી ઉપાડી લીધી હતી. પરંતુ પાલો જે ખૂબ જ કિંમતી હોય છે. ઘાસચારામાં ઉપયોગ થતો હોય તે સંપૂર્ણ રીતે ખરાબ થયેલ છે. તેમજ જે ખેડૂતોનો કપાસ ઊભો છે તેમાં કપાસના ફૂલ ભીના થઈ જતા તે કપાસ ના વાવેતર ને મોટી નુકસાની થયેલ છે.
ADVERTISEMENT
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ખેડૂતો પાસે નુકસાની નો ત્યાગ મેળવવા રૂબરૂ ગયા એ સમયે ખેડૂતો ભાવુક થઈને રડતા રડતા નુકસાનીની વેદના ઠાલવી હતી. સરકાર તરફથી વહેલી તકે વળતર મળે તેવી આશા સાથે ખેડૂત મહિલાના આંખ માંથી આંસુઓની ધારા વહી રહી હતી અને હૈયામાંથી આખા વર્ષ ની ખેતીમાં કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું. તેની વેદના સાથે આ કુદરતી આફતની હૈયા રુદન સાથે વેદના ઠાલવી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Gujarat Weather : ગુજરાતમાં હજુ ભુક્કા કાઢશે વરસાદ! સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ
ADVERTISEMENT
જસદણ અને વિંછીયા પંથકમાં 16000 હેક્ટર કરતા વધારે જમીન પર મગફળીનું વાવેતર થયું છે. 12000 હેકટર કરતા કપાસનું વાવેતર થયું છે. મોટાભાગના ખેડૂતોને માવઠાની માર પડતા ખેડૂત માવતર આજે રડી રહ્યો છે. અને સરકાર પાસે વળતર ની માંગ કરી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.