બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સર્કયુલેશન:કાર્ડિયોવાસ્યુલર કવોલિટી એન્ડ આઉટકમ જર્નલમાં પબ્લિશ એક રિસર્ચમાં જણાવાયું છે કે જેમેને હાર્ટ સંબંધી સમસ્યા હોય અને એકલા રહેતા હોય તે કુતરો પાળે તો તેમને એટેક આવવાની સંભાવના ઘણી ઘટી જાય છે અને તેઓ લાંબુ જીવે છે.
સ્વીડનની યુનિવર્સિટીમાં કરાયું રિસર્ચ
ADVERTISEMENT
સ્વીડનની યુનિવર્સિટીએ કરેલા રિસર્ચમાં જેમને હાર્ટ એટેક આવ્યો હોય અથવા હાર્ટની બિમારી હોય તેવા 40થી 85 વર્ષના લોકોને સામેલ કરાયા હતા.જેમાં જણાયું હતું કે જોરદાર હાર્ટ એટેક આવ્યા પછી કુતરો પાળે તો તેમના મૃત્યુની સંભાવના 33 ટકા ઘટી જાય છે.
.jpg)
ADVERTISEMENT
હાર્ટ એટેકના પ્રમાણમાં 65 ટકાનો થશે ઘટાડો
સંશોધકોએ હાર્ટ એટેકનો ભોગ બનેલા રલાખો લોકોનો ડેટા તપાસ્યો હતો.તેમાં એવો ઘટસ્ફોટ થો હતો કે જે લોકો કુતરો પાળે છે તેમને કુતરો નહીં પાળતા લોકો કરતાં હાર્ટ એટેકનું જોખમ 65 ટકા જેટલું ઘટી જાય છે.
ADVERTISEMENT
કુતરાના કારણે સ્ટ્રેસ પ્રમાણમાં થાય છે ઘટાડો
પાળતું કુતરાના કારણે દરરોજ ચાલવા જેવી એકટિવિટી થાય છે.વળી કુતરાના કારણે સ્ટ્રેસ પ્રમાણ પણ ઘટે છે,તેમજ એકલતા સાલતી નથી.એક અન્ય અભ્યાસમાં પણ એવું બહાર આવ્યં હતું કે કુતરા પાળનાર લોકો સામાજિક રીતે બધા સાથે હળેમળે છે. જેની સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.