બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / delhi ncr ed summons third time aap leader arvind kejriwal vipassana camp delhi excise policy

દિલ્હી / કેજરીવાલને નોટિસ પર નોટિસ" હાજર ન થતાં ત્રીજી વાર દારૂનીતિ કૌભાંડમાં EDએ મોકલ્યું સમન, AAPએ કહ્યું વિપશ્યનામાં છે'

Dinesh

Last Updated: 09:12 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

delhi excise policy: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે EDએ સમન્સ મોકલ્યું છે, 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યુ

  • અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે EDનું સમન્સ
  • 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર રહેવાનું સમન્સ
  • રાજકીય ઈશારે સમન્સ જારી કરવામાં આવ્યા: કેજરીવાલ


EDએ શુક્રવારે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. સૂત્રો પાપ્ત માહિતી મુજબ આ સમન્સમાં તેમણે 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર થવું પડશે. અગાઉ ED દ્વારા બે વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું. પરંતુ તેઓ પૂછપરછ માટે તપાસ એજન્સી સમક્ષ હાજર થયો ન હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજકીય ઈશારે સમન્સ જારી કરવામાં આવ્યા છે.

arvind kejriwal | VTV Gujarati

એક્સાઇઝ પોલિસી કેસ
કેજરીવાલને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગુરુવારે ઇડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ બુધવારે 10 દિવસના વિપશ્યના ધ્યાન સત્ર માટે દિલ્હી છોડી ગયા હતા. મુખ્યમંત્રી કેજરીવાલે બુધવારે EDને મોકલેલા તેમના જવાબમાં જણાવ્યું હતું કે એજન્સી દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે શું તેમને કેસમાં સાક્ષી અથવા શંકાસ્પદ તરીકે સામેલ કરવામાં આવશે કે પછી મુખ્યમંત્રી. દિલ્હી સરકાર કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે બોલાવવામાં આવ્યા છે.

આપ નેતાએ શું કહ્યું ?
આમ આદમી પાર્ટીના નેતાએ તપાસ એજન્સીને કહ્યું કે, આ સમન્સ 18 ડિસેમ્બરે જારી કરવામાં આવ્યું હતું. જેને ચોક્કસપણે રદ કરીને પાછું લઈ લેવું જોઈએ. તેના જવાબમાં કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, તમારા સમન્સનો સમય અને તેની પાછળનો કારણો  મજબૂત કરે છે કે આ સમન્સ કોઈ ઉદ્દેશ્ય કે તર્કસંગત માપદંડો પર આધારિત નથી. આ રાજકીય હરીફોના ઈશારે મોકલવામાં આવ્યા છે. આ દ્વારા અમે કેન્દ્રમાં સત્તાધારી પક્ષના વિરોધનો અવાજ શાંત કરવા માંગીએ છીએ. અગાઉ AAP નેતા કેજરીવાલને 2 નવેમ્બરે ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેમણે નોટિસને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી અને પૂછપરછમાં ભાગ લીધો ન હતો.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ