બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટર ચતેશ્વર પૂજારાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પ્રથમ ઈંનિંગમાં 42 બોલમાં 11 રન કર્યા હતા. જો કે બીજી ઈંનિંગમાં 81 બોલમાં 11 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ક્રાઇસ્ટચર્ચમાં બીજી ટેસ્ટમાં પ્રથમ ઈંનિંગમાં 54 રન માટે 140 બોલ અને બીજી ઈંનિંગમાં 88 બોલમાં 24 રન કર્યા હતા. હવે પૂજારા દુખી થઈ રહ્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ચતેશ્વર પૂજારાની હાજરીમાં સૌરાષ્ટ્રની ટીમે બંગાળની ટીમને હરાવી પ્રથમવાર સૌરાષ્ટ્ર ટીમે પોતાના નામે રણજી ટ્રોફી જીતી. અને આ મેચમાં પૂજારાએ એક વાર ફરીથી ધીમી પરંતુ મહત્વની ઈંનિંગ રમી તેમણે 237 બોલમાં 66 રન બનાવ્યા. અને પૂજારાએ ખુલાસો કર્યો કે રણજી ટ્રોફી જીત્યા બાદ ટીમે શાનદાર રીતે ઉત્સવ મનાવ્યો. તેમજ રાત્રે પાર્ટીની પણ વ્યવસ્થા કરી અને પછીના દિવસે ફિલ્મ જોવા ગયા.
ADVERTISEMENT
આ સમયે મારા જેવું કોઈ બનવા નથી માંગતું
ADVERTISEMENT
ઈંડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા પૂજારાએ જણાવતા કહ્યું કે આ સમયે મારા જેવો કોઈ વ્યક્તિ બેટ્સમેન બનવા નથી માંગતું. હા હું તે વાત સાથે સહમત છું પણ યુવા પેઢી મારી રમતને સમજે છે. અને હવે ટેસ્ટ મેચ ખુબ' ઓછા રમાય છે. અને સીમિત ઓવરની મેચો વધારે રમાઈ રહી છે. અને યુવા પેઢી મારી રમત શૈલીને નહિ અપનાવે કારણ કે તે ટેસ્ટ ક્રિકેટથી સંપૂર્ણરીતે જાણીતા નથી અને એવું નથી નથી કે હું ઝડપી રમી શકતો નથી. જો સીમિત ઓવર હોય તો હું ઝડપી રમી શકું છું. અને મોટા ભાગના લોકોએ મને સફેદ બોલથી રમતા ટીવી પર જોયો નથી.
ADVERTISEMENT
પીચના હિસાબથો ઈંનિંગને આગળ વધારવાની હોય છે
ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના બેટ્સમેન ચતેશ્વર પુજારાએ બંગાળ વિરુદ્ધ રણજી ટ્રોફી ફાઈનલમાં ખુબ મહત્વની ઈંનિંગ રમી હતી અને પુજારાએ જણાવ્યું કે તમારે પીચના હિસાબે રમવું જોઈએ. અને પ્રથમ ઈંનિંગમાં 60 રન બનાવવા માટે મેં 200 વધારે બોલ રમ્યા પણ હું અને મારી ટીમના સાથી જાણીએ છીએ કે પીચ કેવી મુશ્કેલ હતી. અને તે ફાઈનલ મેચ હતી અને મારા પર જવાબદારી હતી. અને હાલતને લઈને ધીમું રમવું તેમાં મારી કોઈ ઉણપ નથી. અને મને ખબર છે કે પીચ મુશ્કેલ છે અને શોટ નથી રમી શકાતું તો હું ઝડપી નહિ રમું અને ન્યૂઝીલેન્ડમાં પણ આવી જ હાલત હતી. મારું કામ કોઈનું મનોરંજન કરવું નથી, પોતાની ટીમ માટે મેચ જીતવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.