ન્યૂઝ અપડેટ્સ
VTV / Coronavirus Drug In India,Remdesivir Drug Is Damaging The Liver Of Covid19 Patients
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર રેમડેસિવીર દવાના ઉપયોગને માટે એક વાર ફરી વિચાર કરવામાં આવી શકે છે. શુક્રવારે પણ તેને લઈને એક બેઠક યોજાઈ હતી. દેશના અલગ અલગ અનેક સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં તેના દુષ્પ્રભાવની જાણકારી મળી છે. જે દર્દીઓને આ દવા આપવામાં આવી રહી છે તેમના લિવરને નુકસાન થયું છે.
જો કે આ માટે તેની વધારે જાણકારી મળવાની બાકી છે. આ દવા ભારતમાં બનતી નથી અને તેની ન તો તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરાયો છે. ગિલિયાડ કંપનીની આ દવાને ભારતમાં બનાવવા માટે કેટલીક કંપનીઓ સાથે કરાર કરાયો છે. આ દવાનો ઉપયોગ ફક્ત ગંભીર સ્થિતિમાં જ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT

કોને ન આપી શકાય આ દવા
ADVERTISEMENT
જે દર્દીઓને પહેલાંથી જ લિવરની તકલીફ છે તેમને આ દવા આપી શકાતી નથી. આ દિશા નિર્દેશમાં કહેવાયું છે કે કેટલાક દર્દીમાં દવા આપતાં પહેલાં લિવરની તકલીફ ન હતી અને પછી તેમને આ તકલીફ સતત વધતી જોવા મળી. આ ચિંતાનો વિષય છે. આ માટે જલ્દી જ નવી નીતિ તૈયાર કરવામાં આવશે.
કોરોનાની સારવારમાં પહેલાં રેમડેસિવીર દવાની પરમિશન મળી હતી. ત્યારબાદ તેની ઉપલબ્ધતા ઓછી થવાનું જાણવા મળ્યું અને હવે તેના દુષ્પ્રભાવ અને કાળા બજારીની ફરિયાદ મળી રહી છે. આ દવા પ્રાઈવેટ હોસ્પિટલો પાસે હતી અને પછી સરકારી હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવી હતી. લોકો તેને ખરીદવા દવા વેચનારાનો સંપર્ક પણ કરી રહ્યા છે. પહેલેથી આ દવાનો સ્ટોક ઓછો છે. દિલ્હીમાં 5 હજારની કિંમતની આ દવા 16-18 હજારમાં મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો