ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ડિમોલિશન બાદ ઘર ન મળતાં અમદાવાદના ચંડોળામાં લોકોએ AMC કચેરી બહાર ધરણા કર્યાં
Last Updated: 04:02 PM, 3 September 2026
ADVERTISEMENT
અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન બાદ ઘર ન મળતાં લોકોએ એએમસી ઓફિસ પર ધરણા કર્યાં હતા. ઘરનું ઘર ના મળતા ચંડોળાના પૂર્વ રહેવાસીઓ અને કોંગ્રેસ કાર્યકરો પૂર્વ વિપક્ષ નેતા શહેજાદ ખાન ની આગેવાની માં વિરોધ કરવા પહોચ્યા હતા .ઢોલ નગારા સાથે વિરોધ નોંધાવ્યોં હતો. રિવરફ્રન્ટ હાઉસ ખાતે ની કચેરી બહાર ના રસ્તો બ્લોક કરી વિરોધ નોંધવા ટ્રાફિક જામ પણ સર્જાયો. પૂર્વ વિપક્ષ નેતા એ ગાદલા મંગાવી સ્થાનિકો કચેરી બહાર જ ધરણા પર બેઠા હતા.
ADVERTISEMENT
ડેપ્યુટી મ્યુ કમિશનરે શું નિવેદન આપ્યું?
ચંડોળા ઘર વિરોધ મામલે ડેપ્યુટી મ્યુ કમિશનરે નિવેદન આપતા જણાવ્યું હતું કે ડિમોલિશન બાદ ભારતીયો નાગરિકો તેવા 231 ઘર વાળા પાસે ડિપોઝિટ લેવામાં આવી છે ..પુરાવા પણ લેવામાં આવ્યા હતા , માન્ય બે પુરાવા હોય તેવા 413 લોકો છે..413 ઘર માલિકો ને મકાન ફાડવા માટે પ્રક્રિયા ચાલુ છે..874 ઘર માલિકો પાસે માત્ર એક જ પુરાવાઓ છે..944 ઘર માલિકો પાસે એક પણ પુરાવો નથી ..આવાસ ફાળવણી ની મંજૂરીની પ્રોસેસ ચાલી રહી છે.
ADVERTISEMENT
ડિમોલિશન બાદ લોકોને નથી મળ્યાં ઘર
ADVERTISEMENT
ચંડોળા ડિમોલિશન શહેરનું સૌથી મોટી ડિમોલિશન હતું. ઘર તોડ્યા બાદ નાગરિકો ને ઘર નું ઘર ના મળતા વિરોધી નોંધાવ્યો ત્યારે ડોક્યુમેન્ટ ના અભાવ ને કારણે અટકેલી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય છે અને લોકો ને ઘર નું ઘર મળે.છે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.