ઘણીવાર આપણે સાંભળ્યુ હશે કે રોજ જમવા છતા પણ હું ઉપવાસ કરુ છુ. આશ્ચર્ય સમાન લાગતી આ વાત કે મજાક હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાચી પડી છે. રોજ ભરપેટ ખાવા છતા ઉપવાસ કરવાને ઇંટરમિટેંટ ફાસ્ટિંગ કહેવાય છે. ઉપવાસની આ રીત આરોગ્ય માટે ફાયદાકારક હોઇ શકે છે.
આ પધ્ધતિમા રોજ આઠથી 10 કલાકનો સમય ફિક્સ કરવામાં આવે છે. તેમાં પોતાની ઇચ્છા અનુસાર ઘણુ બધુ ખાઇ શકાય છે. આ સિવાય બચેલા 14થી 16 કલાક કંઇ પણ ખાવાનુ હોતુ નથી. આ સમયમાં તમે પાણી કે જ્યુસ જેવા લિકવિડ લઇ શકો છો. ચા કે કોફીના શોખીન હો તો તેનુ સેવન પણ કરી શકો છો. બસ એવું કંઇક ખાવામાંથી બચવાનું છે જેને પચાવવામાં શરીરે મહેનત કરવી પડે.
‘ઓબેસિટી કોડ’ પુસ્તકના લેખક ડો જેસન ફંગ કહે છે કે કોઇ પણ સમયે જ્યારે તમે કંઇ પણ ખાતા નથી ત્યારે તમે વ્રતમા હો છો. ચાર કલાકથી વધુ સમય કંઇ ન ખાવુ તે એક પ્રકારનો ઉપવાસ જ છે. ઘણી વાર લોકો એટલે ખાય છે કેમકે તેમનો જમવાનો સમય થઇ ગયો છે. ભલે તેને ખાવાની ઇચ્છા ન હોય. જે વસ્તુ તમે ખાવા નથી ઇચ્છતા તે ન ખાવ. તમારુ શરીર જાણે છે કે શું કરવાનું છે.
તે વધુ ચરબીનો ઉપયોગ કરી લેશે.
આ પ્રક્રિયા વજન ઘટાડવામાં કારગત છે. જો તમે દિવસના 14થી 16 કલાક કંઇ ખાતા નથી તો તમારા પાચનતંત્રને પુરતો આરામ મળે છે. તે અંદરના અંગોના આરોગ્ય માટે પણ સારુ છે. જ્યારે તમે જમતા નથી ત્યારે શરીર તેની જરુરિયાતને અંદરથી જ પુરી કરી લે છે. રોજ આ રીતે કેટલાક કલાકના ઉપવાસથી હેલ્થને ફાયદો થાય છે.