નવા વર્ષને લઇને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે અમદાવાદને નવા વર્ષની ભેટ આપી છે. ગુજરાતમાં ફરવાલાયક સ્થળોમાનું એક એવા કેવડિયા કોલોની જવા માટે સી-પ્લેનની સુવિધાનો પુનઃ પ્રારંભ થશે. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સંકેત આપતા જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ સી પ્લેન સેવા શરૂ થશે. અમદાવાદથી કેવડિયા સુધી હવાઇયાત્રા શરૂ થશે.
નવેમ્બર 2020માં સી-પ્લેનની શરૂઆત
દેશમાં પ્રથમ વાર અમદાવાદથી કેવડિયા વચ્ચે નવેમ્બર-2020માં સી-પ્લેન સેવા શરૂઆત કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર-2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ સફર કરીને વિવિધત રીતે આ સેવા પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી. પરંતુ કરોડોના ખર્ચ બાદ પણ સી-પ્લેન સેવા નિયમિત ચાલતી ન હતી.છેલ્લે સી પ્લેન 8 એપ્રિલ 2021ના રોજ અમદાવાદથી કેવડિયા પહોંચ્યુ હતું. 17 એપ્રિલે સી-પ્લેન અમદાવાદથી મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવ્યુ હતું. જો કે સી પ્લેન શરૂ કરવામાં આવ્યું ત્યારથી જ 50 વર્ષ જૂનું હોવાનું જાણ થતા પ્રવાસીઓ પણ આ સી પ્લેનમાં બેસવા માટે મુંઝવણ અનુભવતા હતા.અત્યાર સુધીમાં 4 વાર મેંટેનસ માટે સી પ્લેન ને મુક્લવામાં આવ્યું છે.
રિવરફ્રન્ટ હેલીપેડથી હેલિકોપ્ટર જોય રાઇડ્સ શરૂ થશે
રિવરફ્રન્ટ હેલીપેડથી હેલિકોપ્ટર જોય રાઇડ્સ શરૂ કરાશે.એરોટ્રાન્સ સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી આ હેલિકોપ્ટર જોયરાઈડ્સ શરૂ કરવામાં આવશે.સાંજે 4 વાગે રિવરફ્રન્ટ હેલીપેડ ખાતે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આ રાઈડ્સ શરૂ થશે.
અમદાવાદની હવાઇ સફર શક્ય બનશે
આ રાઈડ રિવરફ્રન્ટ હેલીપેડથી PM મોદી સ્ટેડિયમ સુધી જઇ પરત ફરશે.તો રાઇડસનો અન્ય એક રૂટ રિવરફ્રન્ટથી સાયન્સ સિટીનો પણ રહેશે.આપને જણાવી દઈએ કે, દરેક રાઈડમાં પાંચ મુસાફરો હશે અને 9 મિનિટનો સમય રહેશે. અને રાઈડની કિંમત દરેક મુસાફર દીઠ રૂપિયા 2 હજાર 360 રહેશે. જો કે આ રાઇડસ દર શનિવારે બપોરે અને રવિવારે સવારે માણી શકાશે.