ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'મોટું રિસ્ક છે, મેં આની વિશે...', તો શું 'ભાભીજી ઘર પર હૈ' શોમાં હવે ક્યારેય નહીં દેખાય શિલ્પા શિંદે?
Last Updated: 10:46 AM, 30 October 2025
ADVERTISEMENT
"ભાભીજી ઘર પર હૈ" ટીવી પરના સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી ચાલતા કોમેડી શોમાંથી એક છે. 2015માં શરૂ થયેલા આ શોએ હંમેશા દર્શકોને હસાવ્યા છે. વિભૂતિ નારાયણ મિશ્રા, તીવારીજી, અને તેમની પત્નીઓ અનિતા ભાભી અને અંગૂરી ભાભી — વચ્ચેની રમૂજી વાતચીત દર્શકોને ગમે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ શોમાં શરૂઆતમાં શિલ્પા શિંદેએ અંગૂરી ભાભીનું પાત્ર ભજવ્યું હતું, જેનાથી તેઓ ઘરઘરમાં જાણીતાં થયા. પછી કેટલાક કારણોસર શિલ્પાએ શો છોડ્યો અને તેમની જગ્યાએ શુભાંગી અત્રેએ આ પાત્ર ભજવવાનું શરૂ કર્યું. શુભાંગી પણ ખૂબ લોકપ્રિય થઈ, પરંતુ ચાહકો આજે પણ શિલ્પાની નિર્દોષ અભિનયને યાદ કરે છે.

ADVERTISEMENT
હાલમાં અહેવાલો આવી રહ્યા છે કે શિલ્પા શિંદે ફરી ‘ભાભીજી ઘર પર હૈ’માં પરત આવી શકે છે. આ સમાચાર સાંભળીને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. પરંતુ શિલ્પાએ ખુદ તાજેતરમાં એક ઇન્ટ્રવ્યુમાં આ અંગે સ્પષ્ટતા આપી હતી .
ADVERTISEMENT

ADVERTISEMENT
શિલ્પાએ ઇન્ટરવ્યુમાં કહ્યું: “મને સવારથી ઘણા ફોન આવી રહ્યા છે. હું હાલમાં બીજા કામમાં વ્યસ્ત છું. હું મનોજજી સાથે હતી અને તેઓ હંમેશા ઈચ્છતા હતા કે હું ‘ભાભીજી ઘર પર હૈ’માં પાછી ફરું. મનોજજી હવે નથી, પણ હું ચોક્કસ તે કરવા માગું છું. પરંતુ હા, આ એક મોટું જોખમ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે હજી સુધી કંઈ ફાઇનલ થયું નથી. “હાલમાં ફક્ત ચર્ચાઓ ચાલી રહી છે. મને એક અલગ શો માટે પણ સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફક્ત સમાચાર છે, હજી કોઈ નિર્ણય લેવાયો નથી.”
આ પણ વાંચો : સાંઇબાબાનાં પાત્રને અમર કરનારા અભિનેતા હોસ્પિટલમાં દાખલ, પરિવારે મદદ માટે કરી અપીલ
ADVERTISEMENT
શિલ્પા શિંદે ફરીથી અંગૂરી ભાભી તરીકે આવશે કે નહીં, તે હજી સ્પષ્ટ નથી. પરંતુ એક વાત ચોક્કસ છે — ચાહકો તેમને ફરી આ પાત્રમાં જોવા માટે ખૂબ ઉત્સાહિત છે. જો શિલ્પા પરત આવે, તો તે શોના ઇતિહાસમાં સૌથી મોટી વાપસી સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital