બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / benefits of bajra health tips

હેલ્થ ટીપ્સ / ઘઉંનો નહીં આ લોટ ખાવાથી નહીં જવું પડે જીમ, આપોઆપ ઘટી જશે શરીર

Kavan

Last Updated: 08:33 PM, 19 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધુનિક સમયમાં પરિવારો વધુ પડતું ઘઉનો જ આહાર તરીકે લેવાનું પસંદ કરે છે. પરંતુ પહેલાના સમયમાં લોકો ઘઉંની સાથોસાથ અન્ય અનાજનું સેવન કરતા. જેમ કે, ચણા, જવ, બાજરો, મકાઈ વગેરે. આ બધા જ અનાજ પૌષ્ટિક અને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખનારા છે. હાલના લોકો ફક્ત ઘઉંનુ જ સેવન કરતા હોવાથી તેમના શરીર મા પોષકતત્વોની ઉણપ જણાય છે.

  • બાજરીનો લોટ છે ગુણકારી 
  • હાર્ટની સમસ્યા તથા જીવલેણ રોગ સામે આપે છે રક્ષણ
  • બાજરીના લોટથી નાહવાથી શરીરમાં જોવા મળે છે ચમક

આજના સમયગાળામાં બાજરાના રોટલા ભાગ્યે જ કોઇ સ્થળે બનતા હશે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાના રોટલા બનાવવામાં આવે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 

હાર્ટ માટે ગુણકારી 

બાજરીના રોટલા શિયાળામાં હાર્ટના દર્દીઓને રાહત અને શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધિત બિમારીઓ થવાનો ખતરો ઘટે છે. તેમાં રહેલુ પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. 

નાહવા માટે પણ છે ઉપયોગી

બાજરીના લોટથી નાહવાથી શરીર પરની ચમકના વધારો થાય છે. ગામડામાં ચણાના લોટની સાથે બાજરીના લોટનું પણ મહત્વ છે. ખાસ કરીને ગુમડા પર પણ બાજરીનો લોટ લગાડવાથી રાહત થાય છે. નાના બાળકને અઠવાડિયે એક વખત બાજરીના લોટથી જરૂર સ્નાન કરાવવું જોઇએ. 

health-benefits-of-bajra-rotla
બાજરીના રોટલા 

જો તમે પણ તમારા વધતા જઈ રહેલા વજનને ઓછું કરવા માંગો છો તો બાજરાનું સેવન તમને ફાયદો આપી શકે છે. બાજરામાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે વજનને કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે.

જીવલેણ રોગ દૂર કરવામાં સહાયરૂપ

કેન્સર જેવી જીવલેણ બિમારીનું નિદાન કરવા માટે બાજરી ખૂબ જ લાભદાયી છે. બાજરીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે. આ ઉપરાંત કેન્સર જેવા જીવલેણ રોગને દૂર કરવામાં પણ સહાયરૂપ બને છે.

નવી ઉર્જાનો થાય સંચાર 

બાજરી શરીરમાં નવી ઉર્જા સંચાર કરવા માટેનો એક શ્રેષ્ઠ સ્ત્રોત ગણવામાં આવે છે. બાજરીની અંદર મોટા પ્રમાણમાં પ્રાકૃતિક ગુણો સમાયેલા છે. જે તમારા શરીરને આખો દિવસ ઉર્જાથી ભરપૂર રાખે છે અને શરીરને બળવાન બનાવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits bajra health tips ગુજરાતી ન્યૂઝ ઘઉં બાજરી Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ