બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:10 PM, 31 May 2026
ભારતીય ક્રિકેટ ટીમના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ભવિષ્ય હવે ચર્ચાનો વિષય બન્યું છે. BCCIએ એશિયન ગેમ્સ માટે 30 ખેલાડીઓની સંભવિત યાદી તૈયાર કરી છે, જેમાં સૂર્યકુમાર યાદવનું નામ સામેલ નથી. આ કારણે એવી અટકળો તેજ બની છે કે BCCI હવે ટી20 ટીમ માટે નવા કેપ્ટનની શોધમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI એશિયન ગેમ્સને નવા કેપ્ટનને અજમાવવાની તક તરીકે જોઈ રહી છે. એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન યોજાવાની છે. આ દરમિયાન ભારતની અન્ય આંતરરાષ્ટ્રીય સિરીઝ પણ રમાવાની હોવાથી અલગ ટીમ મોકલવાની શક્યતા છે.
ADVERTISEMENT
BCCIના પસંદગીકારો નવા ટી20 કેપ્ટન તરીકે Shreyas Iyer અને Sanju Samsonના નામ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા હોવાનું કહેવાય છે. બંને ખેલાડીઓએ IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું નેતૃત્વ અને પ્રદર્શન બતાવ્યું છે. આ ઉપરાંત હાલના ઉપ-કેપ્ટન Axar Patelનું નામ પણ કેપ્ટનશીપના દાવેદારોમાં ચર્ચાઈ રહ્યું છે. પસંદગીકારો આગામી સમયમાં ટીમનું નેતૃત્વ કોને સોંપવું તે અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવ છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી શક્યા નથી. તાજેતરની IPL સિઝનમાં પણ તેમનું બેટ ખાસ ચાલ્યું નહોતું. આ કારણોસર પસંદગીકારો તેમના ભવિષ્ય અંગે ફરી વિચાર કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ BCCI સૂર્યકુમારને એક ખેલાડી તરીકે વધુ એક તક આપવી કે નહીં તે મુદ્દે પણ ચર્ચા કરી રહી છે. આગામી પસંદગી બેઠકમાં તેમના ભવિષ્યને લઈને વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગિલને સ્થાન નહીં, 3 નંબર પર વિરાટ કોહલી, જોઇ લો IPL 2026ની ટીમ ઓફ ટુર્નામેન્ટ!
ADVERTISEMENT
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ અને આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમ પસંદગી પહેલાં પસંદગીકારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ શકે છે. આ બેઠકમાં એશિયન ગેમ્સ માટેની ટીમ, ઈન્ડિયા ‘A’ ટીમ તેમજ ટી20 ટીમના નેતૃત્વ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. હાલની સ્થિતિમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ પર પ્રશ્નચિહ્ન લાગી ગયું છે અને BCCI નવા વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરી રહી હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.