બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

VTV / ધર્મ / baglamukhi jayanti 2023 date and time know shubh muhurat pujan vidhi

Banglamukhi jayanti 2023 / આજે છે બગલામુખી જયંતી, જાણો શુભ મુહૂર્ત, પૂજન વિધિ અને મહત્વ

Bijal Vyas

Last Updated: 10:36 AM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banglamukhi jayanti 2023: બગલામુખી જયંતિ દર વર્ષે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની અષ્ટમીના રોજ ઉજવવામાં આવે છે.વાંચો આ દિવસનું મહત્વ તથા વિધિ વિધાન...

  • આજે બગલામુખી જયંતિની ઉજવણી
  • મા બગલામુખી 10 વિદ્યાઓમાંથી આઠમી મહાવિદ્યા ગણાય છે
  • બગલામુખી જયંતિના દિવસે તમે માતાને ચણાની દાળ અર્પણ કરો

Banglamukhi jayanti 2023: બગલામુખી જયંતિ દર વર્ષે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની અષ્ટમીના રોજ ઉજવવામાં આવે છે. કહેવાય છે કે, આ દિવસે દેવી બગલામુખી અવતર્યા હતા. જો સાચી શ્રદ્ધા અને સાચી રીતથી પૂજા કરવામાં આવે તો બગલામુખી દેવી તેમના ભક્તોને શત્રુઓ સંબંધિત તમામ સમસ્યાઓથી દૂર રાખે છે. આ વખતે બગલામુખી જયંતિ 28 એપ્રિલ એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે.

મા બગલામુખી 10 વિદ્યાઓમાંથી આઠમી મહાવિદ્યા ગણાય છે. એવું કહેવાય છે કે જો બ્રહ્માંડની તમામ શક્તિઓ ભેગા થઈ જાય તો પણ તે મા બગલામુખી સાથે સ્પર્ધા કરી શકે નહીં. આ સિવાય મા બગલામુખીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે, જેના કારણે તેને પિતાંબરી પણ કહેવામાં આવે છે.

બગલામુખી જયંતિ 2023નો શુભ સમય
આજે 28 એપ્રિલ 2023 બગલામુખી જયંતિ છે. હિંદુ પંચાંગ અનુસાર આજે માતા બગલામુખીની પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત સવારે 11.58 થી 12.49 સુધી રહેશે. આ સિવાય જો ઈચ્છા હોય તો બગલામુખીની પૂજા માટે સવારના 03:57 થી 04:41 સુધીનો સમય પણ સારો છે.

Tag | VTV Gujarati

બગલામુખી જયંતિ પુજન પદ્ધતિ 
બગલામુખી જયંતિના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી પીળા રંગના વસ્ત્રો પહેરીને પૂજા શરૂ કરો. આ દિવસની પૂજામાં મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. આ પછી પૂજામાં બને ત્યાં સુધી પીળા રંગનો સમાવેશ કરો. જેમ કે માતાની મુદ્રાને પીળા રંગમાં રાખો, માતાને વસ્ત્રો પીળા રંગના પહેરવા, પૂજામાં પીળા રંગના ફૂલોનો સમાવેશ કરવો, પીળા રંગના ફળોનો સમાવેશ કરવો વગેરે. વિધિવત પૂજા કર્યા પછી તમારી ક્ષમતા મુજબ દાન કરો. ઘણા લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે. આવી સ્થિતિમાં જેમને બગલામુખી જયંતિના દિવસે વ્રત રાખવાનું હોય તેઓ આ દિવસે રાત્રે ફળનું ભોજન કરી શકે છે. આ પછી, સ્નાન વગેરે કર્યા પછી બીજા દિવસે પૂજા કરવામાં આવે છે અને તે પછી જ તમે ભોજન લઈ શકો છો.

બગલામુખી જયંતિ ઉપાયો
1. મા બગલામુખી હંમેશા તેમના ભક્તોની રક્ષા કરે છે અને જ્યારે તેઓ પ્રસન્ન હોય ત્યારે તેમના આશીર્વાદ રાખે છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો તો મા બગલામુખીની પ્રસન્નતા મેળવવા માટે, આ પૂજામાં વધુને વધુ પીળા રંગનો સમાવેશ કરો. કારણ કે માતા બગલામુખીને આ રંગ ખૂબ જ પસંદ છે. આ સિવાય આ દિવસની પૂજામાં પીળા રંગના કપડા જ પહેરો.

દિવાળી પર Yummy અને રંગબે રંગી મીઠાઈ ખાવાના શોખીન હોવ તો ખાસ વાંચજો! આ રીતે  ચેક કરો તેની ક્વોલિટી | in festive season quality of sweets or precautions  before buying sweets from

2. આ સિવાય પૂજામાં ભોગ સહિતનું પણ પોતાનું મહત્વ છે. આમ કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં, બગલામુખી જયંતિના દિવસે, તમારે તમારી ઇચ્છા અનુસાર માતાને પ્રસાદ ધરાવો જોઈએ, પીળી વસ્તુઓનો ભોગ ચઢાવો. આ સિવાય જો પાન, કોઈપણ પીળા રંગની મીઠાઈ, પીળા રંગનું ફળ અને પાંચ ડ્રાય ફ્રૂટનો ભોગમાં સમાવેશ કરવામાં આવે તો માતા બગલામુખી ખૂબ પ્રસન્ન થાય છે અને જીવનમાં આર્થિક સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.

3. બગલામુખી જયંતિના દિવસે તમે માતાને ચણાની દાળ અર્પણ કરી શકો છો. આમ કરવાથી ખરાબ નજર દૂર થાય છે. પૂજા કર્યા પછી આ દાળ બ્રાહ્મણને દાન કરો.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Banglamukhi jayanti 2023 દેવી પીળો રંગ બગલામુખી જયંતિ મા બગલામુખી હિંદુ પંચાંગ Spiritual
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ