ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ભૃણ ગર્ભમાં ફરે છે ત્યારે જ તેના હાડકા જોડાય છે જો ભૃણ ફરવાનું બંધ કરે તો ગર્ભનો વિકાસ તો થશે પરંતુ તેના હાડકા જાડાશે નહીં. પ્રથમ વખત સાંભળે આ વાત ખોટી લાગતી હશે પરંતુ એક રીસર્ચમાં આ હકીકત સાચી પુરવાર થઇ છે.
ADVERTISEMENT
ગર્ભવતી મહિલાઓના અલ્ટ્રાસાઉંડ દરમિયાન ડોક્ટર ભૃણના હલનચલન પરથી બાળકની પરિસ્થીતી જાણતા હોય છે. પરંતુ બાળક ગર્ભમાં કયા કારણોસર ફરે છે તે અત્યાર સુધી કોઇને જાણ નથી. પરંતુ હવે આઇઆઇટી કાનપુરના બાયોલોજિકલ સાયન્સ એન્ડ બાયોએન્જીયરીંગ (બીએસબી) વિભાગના પ્રોફેસર અમિતાભ બંદોપાધ્યાય આ વિષય પરથી પરદો ઉઠાવવામાં સફળ રહ્યા છે.
જેના માટે તેમને ત્રણ વર્ષ સુધી આ વિષય પર રિસર્ચ કર્યુ અને જેમાં તેમનો સાથ આયરલેન્ડની જંતુવિજ્ઞાનના પ્રોફેસર પાઉલા મર્ફીએ આપ્યો છે. આ બન્ને પ્રોફેસરના સહીયારા પ્રયત્નથી આજે એ જાણકારી પ્રાપ્ત થઇ છે કે ભૃણ જો ગર્ભમાં ફરતુ ના હોય તો તેના હાડકા જોડાઇ શકતા નથી.
ADVERTISEMENT

ત્રણ વર્ષ દરમિયાન મરગી અને ઉંદર પર થયેલા રિસર્ચ દરમિયાન તેમને જાણકારી મળી કે જો ભૃણ ગર્ભમાં ફરે નહી તો માત્ર હાડકા બની શકે છે પરંતુ તે જોડાઇ શકતા નથી. આઇઆઇટી કાનપુરનો આ રિપોર્ટ વિશ્વની શ્રેષ્ટ શોધમાંથી એક છે. આ રિપોર્ટને અત્યાર સુધીમાં ૯૧.૯૫ લાખ લોકોએ આવકાર્યો છે.
ADVERTISEMENT
બન્ને પ્રોફેસરે સાથે મળીને આ વિષય પર રિસર્ચ શરૂ કર્યુ હતુ. પ્રો.મર્ફીએ આઇલેન્ડની પ્રયોગશાળામાં ઉંદર પર અને પ્રો. બંદોપાધ્યાયે આઇઆઇટી લેબમાં મરગીના ભૃણ પર સંશોધન કર્યુ અને તે સફળ રહ્યુ. ભવિષ્યમાં આ સંશોધન મેડિકલ સાયન્સ માટે મહત્વનો પુરવાર થશે તેમાં કોઇ બે મત નથી. જો બાળક ગર્ભમાં ફરતુ બંધ થાય તો એટલુ સમજવુ જરૂરી છે કે ક્યાંકને ક્યાંક તેના હાડકાનું જોડાણ અટક્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો