બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ayurvedic remedies to control cough and remove mucus before without allopathic medicine

આરોગ્ય / ઉધરસ શરૂ થયાના 72 કલાક સુધી દવા ન લેવી જોઈએ, નહીંતર છાતીમાં થઇ જશે કફનો ભરાવો, જાણો ઉપાય

Vikram Mehta

Last Updated: 12:29 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાતાવરણ બદલાય એટલે હુંફાળું પાણી પીવાનું શરૂ કરવું જોઈએ. અનેક લોકો આ બાબતને ગંભીરતાથી લે છે અને ફેરફાર પણ કરે છે. જે લોકો લાફસ્ટાઈલમાં ફેરફાર કરે છે, તેમને પરેશાની થતી રહે છે.

ઋતુ બદલાય તો રૂટીન, કપડા, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો જરૂરી છે. અનેક લોકો આ બાબતને ગંભીરતાથી લે છે અને ફેરફાર પણ કરે છે. જે લોકો લાફસ્ટાઈલમાં ફેરફાર કરે છે, તેમને પરેશાની થતી રહે છે. 

ઠંડી હવાઓથી બચવું જરૂરી

વાતાવરણ બદલાય એટલે હુંફાળું પાણી પીવાનું શરૂ કરવું જોઈએ. ફ્રિજની વસ્તુઓનું સેવન ના કરવું. શિયાળામાં પ્રદૂષણ વધી જાય છે, જેથી અસ્થમા અને એલર્જીના દર્દીઓને ખાંસીના સમસ્યા થાય છે. વાતાવરણ બદલાવાને કારણે ઈમ્યૂનિટી નબળી પડી જાય છે, તેમ છતાં લોકો તળેલી અને ઠંડી વસ્તુ ખાય છે. જેના કારણે ખાંસી થવા લાગે છે, જેના કારણે શ્વાસનળીમાં સોજો આવી જાય છે. 

એલર્જીના કારણે ખાંસી
એલર્જીના કારણે ખાંસી કોઈપણ ઋતુમાં થઈ શકે છે. જેના કારણે કફવાળી ખાંસી, વારંવાર છીંક અને નાકમાંથી પાણી નીકળવા લાગે છે. કોઈ ખાસ પ્રકારની ગંધ, ધૂળ, ફૂલમાં રહેલ પરાગ કણ, નવા કપડાંની સ્મેલને કારણે પણ એલર્જી થઈ શકે છે. જે જગ્યાએ આ પ્રકારની ગંધ આવતી હોય ત્યાંથી દૂર થઈ જાવ તો ખાંસી રૂકી જાય છે. 

માત્ર ખાંસી હોય તો શું કરવું
માત્ર ખાંસી હોય તો સમજી જવું જોઈએ કે, ઈન્ફેક્શન થયું નથી. બેક્ટેરિયા અને વાયરસ શરીરની અંદર પહોંચી શક્યા નથી. ઈમ્યુનિટી મજબૂત હોવાને કારણે વધુ તકલીફ થઈ નથી. 

ખાંસી અને તાવ હોય તો શું કરવું
ખાંસીની સાથે સાથે તાવ પણ હોય તો શ્વાસનળી અથવા ફેંફસામાં ઈન્ફેક્શન પણ થયું હોવાની શક્યતા રહેલી છે. 101 ડિગ્રી કરતા વધુ તાવ હોય અને 3 દિવસ કરતા દિવસ સુધી તાવ  રહે તો તાત્કાલિક ડોકટરની સલાહ લેવી અને ઈલાજ કરાવવો. સામાન્ય ખાંસી અને 100 કરતા ઓછો તાવ હોય તો 3 દિવસ સુધી ઘરેલુ ઉપાય કરી શકો છો. 

એલોપેથી
ખાંસી શરૂ થાય તેના 72 કલાક સુધી એન્ટીબાયોટિક અથવા એન્ટીએલર્જી દવાનું સેવન ના કરવું. નહીંતર છાતીમાં કફ જમા થઈ શકે છે. જો તમે અસ્થમા, ટીબી અથવા શ્વાસની બિમારીના દર્દી છો તો આયુર્વેદની સાથે મોડર્ન મેડિસિન લઈ શકો છો. .

ખાંસી હોય તો સવારે ઉઠીને શું કરવું?

  • સવારે ઉઠીને ટૂથપેસ્ટ-બ્રશની જગ્યાએ લીમડાંનું દાંતણ કરવું.
  • 20-25 મિલી તલ અથવા નારિયેલ તેલ મોઢામાં ભરીને 5-7 મિનિટ સુધી રાખો અને કોગળા કરીને ફેંકી દો. આયુર્વેદમાં આ પ્રક્રિયાને ગન્ડૂષ કહે છે. 
  • 50 ml સરસિયાના તેલમાં 2 ચપટી મીઠુ નાખીને ગરમ કરો હવે તેનાથી છાતી પર માલિશ કરો. 
  • સવારે ફ્રેશ થયા પછી નાકમાં તલ, સરસિયા અથવા બદામનું તેલ લગાવો.
  • આખા દિવસમાં 2-3 લીટર હુંફાળું પાણી પીવો. 

વધુ વાંચો: વધારે પડતું વિટામિન પણ સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, ઓવરડોઝમાં તો જીવ પણ જઇ શકે!

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

ayurvedic remedies to control cough control cough cough upay health news in Gujarati remove cough ઉધરસ ઉપાય કફ ઉપાય ખાંસી ઉપાય control cough
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ