બિહારના મૂળ સાથે સંકળાયેલા એક બિઝનેસમેન અનિલ અગ્રવાલે તેમની માતાને ગણાવ્યા પ્રેરણાસ્ત્રોત, શેર કરી સંઘર્ષની કહાની
મુંબઇના ઉદ્યોગપતિનું સંઘર્ષમય જીવન
વેદાંત ગ્રુના વડા અનિલ અગ્રવાલની સંઘર્ષ કથા
400 રુપિયામાં માતા 4 બાળકોને ઉછેરતી
બિહારના મૂળ સાથે સંકળાયેલા એક બિઝનેસમેન, જેમણે મુંબઈ આવીને પોતાનું ભાગ્ય જાતે લખ્યું. જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેમની માતા 400 રૂપિયામાં 4 બાળકોનો ઉછેર કરતી હતી. દેશના મેટલ અને એનર્જી સેક્ટરના સૌથી મોટા બિઝનેસ હાઉસ પૈકીના એક વેદાંત ગ્રુપના વડા અનિલ અગ્રવાલ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. 19 વર્ષની ઉંમરે, તેઓ બિહારના પટનાથી મુંબઈ આવ્યા અને એક નાની દુકાનથી તેમની કારકિર્દીની શરૂઆત કરી અને આજે તેઓ આટલા મોટા ઔદ્યોગિક જૂથના વડા છે. પરંતુ તેમનું જીવન ઘણું જ રસાકસી ભર્યુ રહ્યુ હતું. ત્યારે આવો જાણીએ તેમના સંઘર્ષમય જીવન વિશે
માતા 400 રૂપિયામાં 4 બાળકોને ઉછેરતી હતી
અનિલ અગ્રવાલે ટ્વિટર પર પોતાની માતાના બલિદાનની કહાની શેર કરી હતી. તેમણે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે "મા, તમારા બલિદાનથી મારા બાળપણને પાણી મળ્યું અને મને મારા સપના પૂરા કરવાની તક આપી. તે સમયે તમને 4 બાળકોને ખવડાવવાના માત્ર 400 રૂપિયા મળતા હતા, પરંતુ તમે હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું કે અમારા બધાનું પેટ ભરાઈ ગયું છે કે નહી. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું હજી પણ તમારી સાથે રહું છું અને તમે મને દરરોજ પ્રેરણા આપો છો.
Ma, it is with your sacrifices that I was nourished as a child & given opportunities to pursue my dreams. Despite you getting 400rs per month for 4 children, you made sure all of our bellies were full. I am privileged that I still get to live with you & you inspire me every day. pic.twitter.com/R3iUJCuXom
અનિલ અગ્રવાલ આજે મોટા ઉદ્યોગપતિ છે. કરોડો રૂપિયાના માલિક છે. પરંતુ મધ્યમ વર્ગના મૂલ્યો તેમના જીવન સાથે જોડાયેલા રહ્યા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર, તેમણે તેમના જીવનમાં તેમની પત્ની અને પુત્રીના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો. કોરોના સમયગાળા દરમિયાન પણ, વેદાંત જૂથે લોકોની મદદ માટે 150 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું હતું.
8x9 ફીટ ઓફિસથી ધંધો શરૂ થયો
અનિલ અગ્રવાલે અગાઉ એક ટ્વીટમાં પોતાના શરૂઆતી સંઘર્ષની કહાણી જણાવી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈ આવીને તેણે સૌપ્રથમ ભોઇવાડાના મેટલ માર્કેટમાં 8x9 ફૂટની ઓફિસ ભાડે લીધી અને ત્યાં મેટલનો ભંગાર વેચવાનું શરૂ કર્યું. આજે તેમના વેદાંત ગ્રૂપની માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1.41 લાખ કરોડ છે.
After making connections in Mumbai, I rented an 8ft by 9ft office in Bhoiwada (metal market) in Kalvadevi where I would work day-in, day-out. Using a shared telephone… pic.twitter.com/JrPSHtYqVg