બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમિત શાહની ઘૂસણખોરોને છેલ્લી વોર્નિંગ: જાતે જ પાછા જતા રહો તો કેસ નહીં થાય, નહીંતર ...

નેશનલ / અમિત શાહની ઘૂસણખોરોને છેલ્લી વોર્નિંગ: જાતે જ પાછા જતા રહો તો કેસ નહીં થાય, નહીંતર ...

Published By: Pravin Joshi

Last Updated: 09:01 PM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતેથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશ છોડી દેવા માટે કડક શબ્દોમાં અંતિમ ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવ્યા બાદ વહીવટીતંત્ર કડક બન્યું છે અને ડિટેન્શન સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે.

ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં વસતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ખુલ્લી અને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કાં તો ઘૂસણખોરો જાતે જ પોતાના દેશ પરત ચાલ્યા જાય, નહીંતર તેમની સામે કાયદાકીય કડક પગલાં ભરવામાં આવશે. ગૃહ મંત્રીએ સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે સરકારના કડક વલણને કારણે હવે ગેરકાયદેસર ઘૂસણખોરો આપોઆપ પાછા ભાગવા લાગ્યા છે. અગાઉ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના શાસનકાળ દરમિયાન દરરોજ મોટા પાયે ઘૂસણખોરી થતી હતી, પરંતુ હવે બંગાળમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વવાળી ભાજપ સરકાર આવતા જ સરહદો સુરક્ષિત થઈ છે અને ઘૂસણખોરો પર લગામ કસવામાં આવી છે.

'જાતે પાછા ફરનારાઓને સરકાર મદદ કરશે, કોઈ કેસ નહીં થાય'

અમિત શાહે પોતાના સંબોધનમાં આગળ જણાવ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે જે લોકો ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા છે, તેઓ પોતે જ્યાંથી આવ્યા છે ત્યાં સન્માનપૂર્વક પાછા જતા રહે. જો તેઓ સ્વેચ્છાએ પાછા ફરે છે, તો પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા તેમની સામે કોઈ કાનૂની કેસ દાખલ કરવામાં આવશે નહીં અને તેમને પરત મોકલવામાં વહીવટીતંત્ર તમામ જરૂરી સહાય પણ કરશે." તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકાર દ્વારા ઘૂસણખોરોને પકડવા માટે સત્તાવાર 'ઓળખ અભિયાન' શરૂ કરવામાં આવે તે પહેલા જ મોટી સંખ્યામાં લોકો આપોઆપ દેશ છોડી દેશે.

બંગાળમાં ડિટેન્શન સેન્ટર અને કેન્દ્રની હાઈ લેવલ કમિટી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના દિવસોને યાદ કરતા ગૃહ મંત્રીએ કહ્યું કે અમે જનતાને વચન આપ્યું હતું કે ઘૂસણખોરોને વીણી-વીણીને દેશની બહાર કાઢવામાં આવશે. બંગાળમાં ભાજપની સરકાર બનતાની સાથે જ પ્રશાસને આ દિશામાં કામ શરૂ કરી દીધું છે અને ગેરકાયદેસર નાગરિકોને રાખવા માટે ખાસ ડિટેન્શન સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ એટલે કે 26 મે ના રોજ ‘જનસંખ્યાકીય પરિવર્તન પર ઉચ્ચ સ્તરીય સમિતિ’ની રચના કરવામાં આવી છે. આ સમિતિની જાહેરાત થતાની સાથે જ ભારતમાં ગેરકાયદે રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તેઓ ભારત છોડીને ભાગવા માંડ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશની વસ્તીના માળખા સાથે થતી રાજનીતિ અને ઘૂસણખોરી સામે હવે નિર્ણાયક લડાઈ શરૂ થઈ ચૂકી છે.

આ પણ વાંચો : કર્ણાટકના CM બનવા જઈ રહેલા શિવકુમાર પાસે કરોડોનો શોપિંગ મોલ, રિસોર્ટ સિવાય બીજી કેટલી સંપત્તિ ?

માત્ર 7 દિવસમાં BSF ને સોંપવામાં આવી 600 હેક્ટર જમીન

સરહદ સુરક્ષા અંગે મોટો ખુલાસો કરતા અમિત શાહે પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની પીઠ થાબડી હતી. તેમણે કહ્યું, અમે બંગાળની ચૂંટણી દરમિયાન વાયદો કર્યો હતો કે જો તમે અમને સત્તા સોંપશો, તો બાંગ્લાદેશ સરહદ પર અટકેલું ફેન્સિંગનું કામ અમે રેકોર્ડ સમયમાં શરૂ કરાવીશું. તેમણે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને અભિનંદન આપતા જણાવ્યું કે, બંગાળ સરકારે વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવીને માત્ર 7 દિવસની અંદર 600 હેક્ટર જમીન બોર્ડર સિક્યોરિટી ફોર્સને સોંપી દીધી છે જેથી ફેન્સિંગનું બાકી રહેલું કામ વહેલી તકે પૂરું કરી શકાય. આ ઉપરાંત, વડવાળું વ્યૂહાત્મક ક્ષેત્ર ગણાતા ચિકન નેક વિસ્તારની પણ 121 હેક્ટર જમીન BSF ને સોંપી દેવામાં આવી છે, જેનાથી દેશની આંતરિક સુરક્ષા વધુ મજબૂત બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

InfiltrationAlert AmitShah SuvenduAdhikari

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ