બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
11થી 17 વર્ષની ઉંમરના બાળકો તણાવનો બની રહ્યા છે ભોગ
માનવ સંસાધન મંત્રાલય (એચઆરડી મિનિસ્ટ્રી) દ્ધારા રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે 11થી 17 વર્ષની ઉંમરના શાળામાં જતા બાળકો તણાવનો ભોગ બની રહ્યા છે. જેમાં મનોવૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર ગણવામાં આવે છે.
ADVERTISEMENT
દેશના 12 રાજ્યોમાં કરાયો સર્વેક્ષણ
રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થય અને તંત્રિકા તંત્ર સંસ્થા બેંગલુરૂ દ્ધારા દેશના 12 રાજ્યોમાં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થાય સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો. 5થી 9 વર્ષની ઉંમરના બાળકોની સ્થિતી ઘણી દયનીય છે. શાળાઓમાં ઇતર પ્રવૃતિ, પ્રોજેક્ટ અને કારણ વગરના કાર્યક્રમોના કારણે બાળકો દબાણ અને ગુંગળામણ અનુભવે છે, પરીણામ ડિપ્રેશનનો ભોગ બને છે.
ADVERTISEMENT
ગામડામાં ડિપ્રેશનથી પીડાતા બાળકો વધુ
જેથી તેમનામાં ગુસ્સો, બીજા કરતા વધારે સારૂ કરવાની જીદ, પોતાની તકલીફ માટે અન્યને જવાબદાર ઠેરવવાની વૃતિ આવી જાય છે. શાળાના શિક્ષકો તથા સંચાલકો આવા બાળકને અન્ય બાળક કરતા અલગ કરી દે છે. ગામડાઓની વાત કરીએ તો ડિપ્રેશનથી પીડાતા બાળકોની સંખ્યા 6.9 ટકા હતી જ્યારે શહેરના બાળકોમાં આ આંકડો ડબલ એટલે કે 13.5 ટકા જેટલો હતો. જો કે હવે તંત્ર દ્ધારા આવી સમસ્યા માટે સમાધાનનો રસ્તો શોધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જેમાં શાળાઓમાં કાઉન્સલિંગની વ્યવસ્થા ઉપરાંત તણાવ રહીત વાતાવરણ બને તે માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. શિક્ષકો પણ આ માટે તૈયાર થાય તેવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ વીશે વાત કરતા સાઇક્રાટીસ ડો. મનોજ મણીયાર કહે છે, “કોઇ પણ બાળક પર વધારે પડતુ ભારણ આવે તો તે ડિપ્રેશનનો ભોગ બને છે.
પુરતી ઉંઘ ન મળવાને કારણે રહે છે બેચેન
ADVERTISEMENT
પછી તે અભ્યાસનું હોય કે અન્ય. આજના બાળકો અભ્યાસને લઇને સતત ચીંતામાં રહે છે.જે ધીમે-ધીમે ચીંતાનું સ્વરૂપ ધારણ કરે છે. પરીવાર પણ તેમની પર સતત દબાણ કરે છે. પુરતી ઉંઘ નથી મળતી, જેના કારણે તે બેચેન રહે છે, બરોબર જમતા નથી, મીત્રો સાથે રમવા નથી મળતુ, જેવા અનેક કારણોસર બાળકો ડિપ્રેશનનો ભોગ બને છે. ઘણીવાર તો ગંભીર બિમારીમાં પણ
સપડાઇ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.