બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / હાશ! આખરે પરિવારે લીધો રાહતનો શ્વાસ, ઈરાનમાં બંધક બનાવેલા ગુજરાતીઓને લઈ મોટા સમાચાર
Last Updated: 10:31 AM, 28 October 2025
ઇરાનમાં બંધક બનાવાયેલા ચારેય ગુજરાતીઓને મુક્ત કરાયા છે મુક્ત કરવામાં આવેલા 4 ગુજરાતીઓમાં 1 મહિલાનો પણ સમાવેશ થાય છે. મુકત કરાયેલા લોકોને ભારત પરત લાવવાની કવાયત શરૂ કરાઇ છે. બાપુપુરા ગામના સરપંચ પ્રકાશ ચૌધરીએ માહિતી આપી. વિદેશ જવાની ઘેલછામાં માણસના 4 લોકો ઇરાનમાં ફસાયા હતા દિલ્લીના એજન્ટના મારફતે ઓસ્ટ્રેલિયા જતા સમયે તેમનું અપહરણ કરાયું હતું.
ADVERTISEMENT
ગાંધીનગર નજીક આવેલાં બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતાં ત્યારે તેમને બેંગકોક, વાયા દુબઈ થઈ તહેરાન લઈ જવાયા હતાં. જ્યાં બંધક બનાવી ચારેય ગુજરાતીઓને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાની વિગત સામે આવી હતી અને તેમનો વીડિયો પરિવારજનોને મોકલી 2 કરોડની માગ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ લો બોલો, કચ્છમાંથી ઝડપાયો કલેક્ટરની ખોટી સહીઓ કરીને ઠગાઇ આચરનારો ક્લાર્ક, કચેરીમાં ચકચાર
ADVERTISEMENT
થાઇલેન્ડ થઈને વાયા દુબઈ ઈરાન લઈ જવાયા હતા
માણસા તાલુકાના બાપુપુરા ગામના પ્રિયા ચૌહાણ, અજય ચૌધરી, અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તેમને એમિરેટ્સ એરલાઇન્સ મારફતે દિલ્હીથી થાઇલેન્ડ લઇ જવાયા હતાં ત્યાંથી વાયા દુબઈ થઈ ઈરાનના પાટનગર તહેરાન લઈ જવાયા હતાં. તહેરાન શહેરના ખામેનીની ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચારેય ગુજરાતીઓને ટેક્સીમાં બેસાડી અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.