ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવરાત્રિમાં રાતના 12 વાગ્યા બાદ પણ મેટ્રો દોડશે, ટાઇમિંગ જાણીને ખુશ થઇ જશો
Last Updated: 12:51 PM, 24 September 2025
ADVERTISEMENT
નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો દ્વારા દર વર્ષે સમય લંબાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અમદાવાદીઓની સુવિધા માટે મેટ્રોએ સેવાઓનો સમય લંબાવ્યો છે. જેના કારણે હવે તમે મોડી રાત્રિ સુધી ગરબાની મજા માણી શકો છો અને સરળતાથી ઘરે પહોંચી શકો છો.
ADVERTISEMENT
જોવો ટાઇમ ટેબલ

ADVERTISEMENT
જેમાં વસ્ત્રાલથી થલતેજ ગામ માટે રાત્રે 10 થી 2 વાગ્યા સુધી દરેક ટર્મિનલ સ્ટેશનથી દર 30 મિનિટે મેટ્રોનું સંચાલન કરવામાં આવશે. કોટેશ્વર રોડ થી એપીએમસી માટે રાત્રિ 10 થી 2 વાગ્યા સુધી દરેક ટર્મિનલ સ્ટેશનથી દર 30 મિનિટે મેટ્રોનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી રાત્રિના 10 થી રાત્રિના 10 વાગે, 11 વાગે, 12 વાગે, 1 વાગે અને છેલ્લી મેટ્રો 2 વાગે ઉપડશે.
ADVERTISEMENT
ખાસ ટિકિટની વ્યવસ્થા
લંબાયેલા સમય દરમિયાન મુસાફરી કરવા માટે, રૂપિયા 50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે. આ ટિકિટ તમામ મેટ્રો સ્ટેશનો પરથી ખરીદી શકાશે અને તે માત્ર એક જ મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો