સૌરવ ગાંગુલીના મતે, આ બે બેટ્સમેનનું રણજી ટ્રોફીમાં રમવું તથા રન બનાવવા એ એક સારો વિચાર સાબિત થઈ શકે છે.
બે વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં રણજી ટ્રોફીની વાપસી
ટૂર્નામેન્ટના માધ્યમથી ભારતને ઘણા સારા ક્રિકેટર્સ મળે છે
સૌરવ ગાંગુલીએ આ બે ભારતીય ટેસ્ટ બેટ્સમેનને રણજીમાં રમવાની સલાહ આપી
બે વર્ષના અંતરાલ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં આ વર્ષે રણજી ટ્રોફીની વાપસી થવાની છે. ભારતની પ્રમુખ પ્રથમ શ્રેણીની ઘરેલુ પ્રતિયોગિતા બે ભાગમાં રમાશે જેમાં પહેલી આ મહિનાના અંતમાં તથા આઇપીએલ બાદ નાકઆઉટ ચરણનું આયોજન કરવામાં આવશે. ગયા બે વર્ષથી આ ટૂર્નામેન્ટનું આયોજન ન થવાના કારણે ઘણા ખેલાડીઓને વ્યાવસાયિક તથા આર્થિક રૂપથી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ ટૂર્નામેન્ટના માધ્યમથી ભારતને ઘણા સારા ક્રિકેટર્સ મળે છે તથા સાથે જ ઘણા અનુભવી ક્રિકેટર્સ આ માધ્યમથી પોતાના ફોર્મમાં ફરી આવી જાય છે.
બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હવે બે ભારતીય ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા તથા અજિંક્ય રહાણેને સલાહ આપી કે આ બંનેનું રણજી ટ્રોફીમાં રમવું તથા રન બનાવવા એ એક સારો વિચાર સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ બંને બેટ્સમેન ગયા ઘણા સમયથી રન બનાવવા માંતે સંઘર્ષ કરતાં જોવા મળે છે. ગાંગુલીને લાગે છે કે જો આ બંને આ કરે છે તો પોતાની ફોર્મને ફરી મેળવી શકે છે.
ગાંગુલીએ સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા કહ્યું કે હા, તેઓ ખૂબ જ સારા ખેલાડી છે. આશા છે કે તેઓ રણજી ટ્રોફીમાં ફરી જશે તથા ઘણા રન બનાવશે, જે માંને વિશ્વાસ છે કે તેઓ કરશે જ. મને કોઈ જ સમસ્યા નજર આવી રહી નથી. રણજી ટ્રોફી એક ઘણી મોટી ટૂર્નામેન્ટ છે તથા આપણે બધા એ ટૂર્નામેન્ટમાં રમ્યા છીએ. એટલે એ બંને ત્યાં જશે તથા પ્રદર્શન કરશે. તેમણે પહેલઆ પણ રણજી રમ્યું છે જ્યારે તેઓ ભારત માટે માટ ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા હતા તથા વન ડે કે T20 ટીમનો ભાગ ન હતા. આ કારણે માંને નથી લાગતું કે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે.