બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 61000 New Corona Cases In One Week Can Again Push India In Lockdown

આશંકા / દેશમાં અનલૉક-1 ખૂલતાં જ અઠવાડિયામાં આટલો વધ્યો કોરોનાનો કહેર, ફરી આવી શકે છે લૉકડાઉન

Bhushita

Last Updated: 09:25 AM, 6 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં અનલોક-1 એક અઠવાડિયાથી છૂટછાટ આપવામાં આવી છે. આ વચ્ચે કોરોનાના કેસ પણ સતત વધી રહ્યાં છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં અંદાજે 61 હજાર મામલાઓ નોંધાઇ ચૂક્યા છે. જેના કારણે ભારત કોરોના પ્રભાવિત દેશોની લિસ્ટમાં ઇટાલીથી પણ આગળ વધી ગયું છે અને 6 નંબર પર પહોંચી ગયું છે. જેને લઇ આરોગ્ય ક્ષેત્રના વિશેષજ્ઞોએ આશંકા વ્યક્ત કરી છે કે સ્થિતિ નિયંત્રણની બહાર થશે તો ફરી લોકડાઉન લગાવું પડી શકે છે.

  • ભારતમાં એક અઠવાડિયામાં કોરોનાના 61 હજાર કેસ વધ્યા
  • ભારતમાં ઇટાલીથી પણ વધુ કોરોનાના કેસ નોંધાયા
  • એક્સપર્ટે ફરી લોકડાઉન લગાવવાની આશંકા વ્યક્ત કરી

આ નિષ્ણાતોએ વ્યક્ત કરી લૉકડાઉનની આશંકા

તો બીજી બાજુ AIIMSના એક સિનિયર ડોક્ટરે સરકાર પર નારાજગી વ્યક્ત કરી કે મહામારી સામે લડવા માટેની રણનીતિ વિશેષજ્ઞોની જગ્યાએ અધિકારીઓ બનાવી રહ્યાં છે. દિલ્હીમાં આવેલી ફોર્ટિસ હોસ્પિટલના નિર્દેશક ડો. વિકાસ મોર્યએ કહ્યું કે લોકોને ખબર હતી કે લૉકડાઉન ખોલવામાં આવશે તો કેસ વધશે. પરંતુ એ વાત પર પણ ધ્યાન આપવાનું છે કે સ્થિતિ બેકાબૂ ન થાય કારણ કે જો એવું થયું તો ફરી લૉકડાઉન લગાવી શકાય છે.  ડોક્ટર વિવેકે કહ્યું કે કેસ સતત વધી રહ્યાં છે ત્યારે આ સમયે મોલ અને ધાર્મિકસ્થળ ખોલવા વધારે ઉતાવળભર્યું પગલું હશે.

લૉકડાઉનમાં ઢીલ આપવાની સાથે જ દેશમાં કોરોના સંકટ ઘેરું બન્યું છે. એક જ અઠવાડિયામાં 61 હજાર કેસ આવ્યા છે. શુક્રવારે એક દિવસમાં 9851 કેસ નોંધાયા છે અને દેશમાં મૃત્યુદરમાં પણ વધારો થતાં હાહાકાર મચ્યો છે. હાલમાં ભારત કેસ અને મૃત્યુદરના વધારા સાથે વિશ્વમાં છઠ્ઠા નંબરે પહોંચ્યું છે. 

વધતા કેસે વધારી ચિંતા 

  • ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે.
  • છેલ્લા એક સપ્તાહમાં દેશમાં અંદાજે 61 હજાર કેસ નોંધાયા છે.
  • ભારત કોરોના પ્રભાવિત દેશોની લિસ્ટમાં ઇટાલીથી પણ આગળ વધી ગયું છે. 
  • ભારત કોરોના પ્રભાવિત દેશમાં 6 નંબર પર આવી ગયું છે.
  • આરોગ્ય ક્ષેત્રના વિશેષજ્ઞોએ ફરી લૉકડાઉન લગાવું પડી શકે તેવી આશંકા વ્યક્ત કરી.
  • વિશેષજ્ઞોએ કહ્યું '' સ્થિતિ બેકાબૂ થઇ તો ફરી લોકડાઉન લગાવી શકાય છે''.
  • વિશેષજ્ઞોએ કહ્યું ''મોલ અને ધાર્મિકસ્થળ ખોલવા જલ્દબાજી હશે''.

લોકોએ આ 4 વાતોનું રાખવું પડશે ધ્યાન

લોકોએ સ્વચાલિત લૉકડાઉનને અનુસરવાનું છે અને આ ચાર મહત્વપૂર્ણ સિદ્ધાંતોનો અમલ કરવો જરૂરી છે કે જો જરૂરી ન હોય તો તેઓ બહાર ન જાય, હંમેશાં માસ્ક પહેરે, અંતર રાખે અને હાથ ધોતા રહેશે.  "હાલમાં સ્થિતિ ફરીથી લૉકડાઉન કરવાની નથી, પરંતુ જો પરિસ્થિતિ બેકાબૂ બની જાય, તો ફરીને બંધમાં પાછા ફરવું પડી શકે છે." અન્ય એક ડોક્ટરે પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકો ધર્મના નિયમોનું ઉલ્લંઘન ન કરે તે સુનિશ્ચિત કરવું ખૂબ જ મુશ્કેલ હશે, તેથી ધર્મશાળાઓ અને મોલ ખોલવાની મંજૂરી આપવાની ઉતાવળ છે.

સંકળાયેલા મુદ્દાઓ

India New Corona Cases One Week Unlock 1 lockdown આશંકા કેસ કોરોના વાયરસ ભારત લૉકડાઉન વધારો coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ