બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 07:56 PM, 8 August 2026
1/5
2/5
રામાનંદ સાગરની ‘રામાયણ’ સીરિયલે તેના દરેક કલાકારને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. આ શોમાં નાનું-મોટું પાત્ર ભજવનાર કલાકારો આજે પણ પોતાના રોલ માટે લોકોના મનમાં જીવંત છે. આવું જ એક યાદગાર પાત્ર હતું ‘ઉર્મિલા’નું, જે લક્ષ્મણની પત્ની અને માતા સીતાની બહેન હતા. આ પાત્રને પડદા પર જીવંત કરવાનું કામ અભિનેત્રી અંજલિ વ્યાસે કર્યું હતું.
3/5
અંજલિ વ્યાસે રામાયણમાં ઉર્મિલાની ભૂમિકા અત્યંત સુંદરતાથી ભજવી હતી. મીઠી મુસ્કુરાહટ હોય કે પછી પતિ લક્ષ્મણના વનવાસ દરમિયાન 14 વર્ષનો વિયોગ... તેમણે આ પાત્રમાં પોતાના અભિનયથી પ્રાણ પૂરી દીધા હતા. આજે 39 વર્ષ પછી પણ લોકો તેમને આ શ્રેષ્ઠ કિરદાર માટે યાદ કરે છે.
4/5
રામાયણમાં કામ કરતા પહેલા અંજલિ વ્યાસે ‘લાખો કી બાત’ (સંજીવ કુમાર સાથે) અને ‘પ્યાર હો ગયા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેમને ખાસ સફળતા મળી ન હતી. રામાયણમાં ઉર્મિલાના પાત્રથી તેમને અભૂતપૂર્વ લોકપ્રિયતા અને ઘર-ઘરમાં ઓળખ મળી. જોકે, આટલા મોટા સ્ટારડમ બાદ પણ તેમણે ગ્લેમર વર્લ્ડ છોડવાનો નિર્ણય લીધો. તેઓ છેલ્લે રામાનંદ સાગરના શો ‘લવ-કુશ’માં જોવા મળ્યા હતા, જે પછી તેમણે એક્ટિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી.
5/5
આજે અંજલિ વ્યાસ અભિનયની દુનિયાથી કોસો દૂર પોતાની અંગત જિંદગી વિતાવી રહ્યા છે. લગ્ન પછી તેઓ પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે. ટીવી અને ફિલ્મોથી દૂર હોવા છતાં તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તેઓ ઓસ્ટ્રેલિયાથી પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નવી તસવીરો શેર કરતા રહે છે, જ્યાં તેમને 1000 થી વધુ લોકો ફોલો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ