બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 04:41 PM, 8 August 2026
1/7
ઘરનું મુખ્ય દ્વાર માત્ર અંદર જવાનો માર્ગ નથી પણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર તે ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશ કરાવતું મુખ્ય સ્થાન માનવામાં આવે છે. એટલે જ મુખ્ય દ્વાર પર લગાવાતી નેમ પ્લેટ અંગે પણ ઘણા વાસ્તુ નિયમો છે. માન્યતા છે કે યોગ્ય દિશા, સાચો રંગ અને સુંદર ડિઝાઇનવાળી નેમ પ્લેટ ઘરના વાતાવરણમાં સકારાત્મકતા જાળવી રાખે છે અને પરિવારના સભ્યો પર પણ અનુકૂળ અસર કરે છે. જો નેમ પ્લેટ ખોટી રીતે લગાવાઈ હોય તો વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ નવી નેમ પ્લેટ લગાવવાનું વિચારી રહ્યા છો તો આ વાસ્તુ સૂચનો ધ્યાનમાં રાખો.
2/7
વાસ્તુ મુજબ મુખ્ય દ્વારની નેમ પ્લેટ સ્પષ્ટ અને પ્રકાશમાં દેખાવી જોઈએ. તેના માટે નેમ પ્લેટની બરાબર ઉપર ફોકસ લાઈટ લગાવવી શુભ માનવામાં આવે છે. આથી સાંજ અને રાત્રે પણ નેમ પ્લેટ સરળતાથી દેખાય છે અને પ્રવેશસ્થાન પ્રકાશિત રહે છે. વાસ્તુ અનુસાર નેમ પ્લેટ ઉપર પીળા રંગનો બલ્બ લગાવવો શાનદાર ગણાય છે, જેથી તમારું નામ સ્પષ્ટ દેખાય.
3/7
વાસ્તુ અનુસાર નેમ પ્લેટ માટે પૂર્વ દિશાને પ્રાથમિકતા આપી શકાય છે, કેમ કે પૂર્વ દિશા સૂર્ય અને સકારાત્મક ઊર્જા સાથે જોડાયેલી છે. જોકે ઘરની બાંધકામ અને મુખ્ય દ્વારની દિશા મુજબ જ સ્થાન નક્કી કરવું વધુ સારું. નેમ પ્લેટ હંમેશા ગેટની જમણી બાજુએ લગાવવી જોઈએ.
4/7
નેમ પ્લેટને ધાર્મિક કે પૂજા સ્થાન બનાવવું જોઈએ નહીં. વાસ્તુ માન્યતા અનુસાર તેના પર કોઈ દેવી-દેવતાની તસવીર કે પ્રતિમાનું ચિહ્ન ન લગાવવું. હા, સ્વસ્તિક અને ॐ જેવા શુભ પ્રતીકોનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રતીકો ભારતીય પરંપરામાં મંગળ અને શુભતા સાથે જોડાયેલા છે અને ઘરના વાતાવરણને સારું રાખવામાં મદદ કરે છે.
5/7
વાસ્તુ મુજબ નેમ પ્લેટમાં કુદરતી સામગ્રીને પ્રાથમિકતા આપવી જોઈએ. લાકડું કે પથ્થર જેવી સામગ્રી સારી માનવામાં આવે છે. પ્લાસ્ટિકની નેમ પ્લેટથી બચવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે તેનાથી ઘરના સભ્યો પર નકારાત્મક અસર થઈ શકે છે. નેમ પ્લેટ મજબૂત, સાફ-સુથરી અને એવી હોવી જોઈએ કે તેના પરનું નામ સરળતાથી વાંચી શકાય.
6/7
નેમ પ્લેટને વધારે પડતી માહિતીથી ભરવાને બદલે માત્ર પોતાનું નામ અને વ્યવસાય લખાવવાની સલાહ આપવામાં આવે છે. આથી તે સાદી અને સ્પષ્ટ દેખાય છે. નામ લખવા માટે સોનેરી રંગનો ઉપયોગ કરી શકાય છે. વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓમાં સોનેરી રંગને સમૃદ્ધિ, વૈભવ અને સકારાત્મકતા સાથે જોડવામાં આવે છે. જોકે રંગનો પસંદગી ઘરના મુખ્ય દ્વાર અને નેમ પ્લેટની કુલ ડિઝાઇન સાથે સંતુલિત હોવી જોઈએ.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ