બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટમાં ચાંદીપુરના લક્ષણો ધરાવતા બાળકનું મોત થતાં ચિંતા, 3 દર્દીઓ સારવાર હેઠળ

બીમારી વધી / રાજકોટમાં ચાંદીપુરના લક્ષણો ધરાવતા બાળકનું મોત થતાં ચિંતા, 3 દર્દીઓ સારવાર હેઠળ

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 05:24 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ચાંદીપુરના લક્ષણો ધરાવતા એક બાળકનું મોત થતાં ચિંતા વ્યાપી હતી.

ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બાળકનું મોત થયું હતું. 6 વર્ષીય બાળક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો હતો. શંકાસ્પદ લક્ષણો જણાતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. લક્ષણોના પગલે સેમ્પલ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ રિપોર્ટ આવે તે પુર્વે જ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ

હોસ્પિટલમાં હાલ ત્રણ શંકાસ્પદ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે સમગ્ર મામલે સાવચેતીના પગલાં હાથ ધરી બાળકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ બાળકમાં ચાંદીપુર વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા હતા.

વધુ વાંચો : અરે બાપ રે! ઓનલાઈન મંગાવેલા ચીકનમાં નીકળ્યો કોન્ડોમ, કપલે કર્યો 12 કરોડનો કેસ

સ્થાનિક લોકોમાં ચિંતા

ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે અને આરોગ્ય તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

chandipura virus cases chandipura virus

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ