બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાને મોટો ફટકો: શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો સ્ટાર બેટ્સમેન
Last Updated: 04:31 PM, 8 August 2026
ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે, જેના માટે ભારતીય ટીમ શ્રીલંકા પહોંચી ચૂકી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સામેની આખી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયા સાઈ સુદર્શન વગર જ શ્રીલંકા રવાના થઈ હતી, કારણ કે તેઓ બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માં રિહેબ હેઠળ હતા. અહેવાલો અનુસાર, સુદર્શન 8 ઓગસ્ટે શ્રીલંકા જવાના હતા. તેઓ બેટિંગ અને ફીલ્ડિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, પરંતુ જમણા પગમાં સ્ટ્રેસની સમસ્યા સંપૂર્ણપણે ઠીક ન થવાને કારણે તેમને આ સિરીઝમાંથી બહાર થવું પડ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બીસીસીઆઈ (BCCI) એ હજુ સુધી સાઈ સુદર્શનના સ્થાન પર કોઈ ખેલાડીના નામની જાહેરાત કરી નથી, પરંતુ ટૂંક સમયમાં રિપ્લેસમેન્ટનું એલાન કરવામાં આવશે. સુદર્શનના સ્થાને ટીમમાં સામેલ થવા માટે બે મુખ્ય દાવેદારો આગળ ચાલી રહ્યા છે, જેમાં ઋતુરાજ ગાયકવાડ અને સરફરાઝ ખાનના નામનો સમાવેશ થાય છે. હવે પસંદગીકારો આ બંનેમાંથી કોને તક આપે છે તે જોવું રસપ્રદ રહેશે.
ADVERTISEMENT
શુભમન ગિલ (કેપ્ટન), કે.એલ. રાહુલ (વાઈસ કેપ્ટન), યશસ્વી જેસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, આકિબ નબી દાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, દેવદત્ત પડિક્કલ અને સારાંશ જૈન.
આ પણ વાંચોઃ PM મોદીએ કેમ બાબા બાગેશ્વરને યાદ કર્યા? IIT દિલ્હીના 57માં દીક્ષાંત સમારોહથી સંબોધન
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.