બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / નિવૃત્તિના 5 દિવસમાં જ રહાણેનો BCCIને કડક સંદેશ, પસંદગી પ્રક્રિયાને લઈ ઉઠાવ્યો સવાલ
Last Updated: 09:19 PM, 5 August 2026
Ajinkya Rahane: ભારતીય ક્રિકેટમાં ટેસ્ટ ટીમ ટીમની તસવીર છેલ્લા એક વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગઇ છે. ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને હવે અજિંક્ય રહાણેએ પણ પોતાની કારકિર્દીને વિરામ આપ્યો છે.
ADVERTISEMENT
રહાણે માને છે કે ટેસ્ટ ક્રિકેટ ફક્ત યુવા ખેલાડીઓના ભરોસે ચાલી ના શકે. તેના મત્તે કોઈપણ સફળ ટેસ્ટ ટીમ માટે અનુભવ અને યુવા ખેલાડીઓનું સંતુલન મહત્વપૂર્ણ છે. ટીમમાં ફક્ત નવા ચહેરાઓનો સમાવેશ થાય તો લાંબા ગાળાની સ્થિરતા જાળવવી મુશ્કેલ બનશે.
અજિંક્ય રહાણેએ સત્ય બતાવ્યું
ADVERTISEMENT
ઓવરલેપ ક્રિકેટ યુટ્યુબ ચેનલ પર એક ઇન્ટરવ્યુમાં રહાણેએ કહ્યું કે ટેસ્ટ ક્રિકેટના સાચા ચાહકો આ ફોર્મેટનું મહત્વ સમજે છે. તેમના મતે વર્તમાન ભારતીય ટેસ્ટ ટીમમાં નવા ખેલાડીઓની સંખ્યા નોંધપાત્ર છે, જ્યારે અનુભવી ખેલાડીઓની હાજરી સતત ઘટી રહી છે. તેમણે કહ્યું કે એક મજબૂત ટેસ્ટ ટીમમાં સાતથી આઠ સિનિયર ખેલાડીઓ અને બેથી ત્રણ યુવા ખેલાડીઓનું સંતુલન હોવું જોઈએ. હાલમાં ભારતીય ટીમમાં આ સંતુલનનો અભાવ છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્રિકેટ / ફેરવેલ મેચ વગર જ ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું હતું, ભારતના 5 દિગ્ગજો ખેલાડીઓની ભાવુક કહાની
રહાણેએ એમ પણ કહ્યું કે સિનિયર ખેલાડીઓના અનુભવનું સન્માન કરવું જોઈએ. તેમના મતે ટીમમાંથી બધા સિનિયર ખેલાડીઓનું એકસાથે વિદાય થવું એ ભારતીય ટેસ્ટ ક્રિકેટ માટે ચિંતાનો વિષય છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આગામી વર્ષોમાં ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હાલમાં શુભમન ગિલ ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાં સામેલ છે, જ્યારે જસપ્રીત બુમરાહ ઈજાને કારણે બહાર છે. પરિણામે ઝડપી બોલિંગ આક્રમણ યુવાન ખેલાડીઓ પર ભારે નિર્ભર છે. આ જ કારણ છે કે ટીમના અનુભવ પર સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.