બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્યદેવને જળ કયા વાસણથી ચઢાવવું જોઈએ? જાણો શાસ્ત્રમાં શું કહેવાયું છે"

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / સૂર્યદેવને જળ કયા વાસણથી ચઢાવવું જોઈએ? જાણો શાસ્ત્રમાં શું કહેવાયું છે"

Last Updated: 05:36 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સૂર્યને તાંબા અથવા પિત્તળના લોટાથી જળ અર્પણ કરવું સૌથી શુભ છે, જેનાથી સન્માન, યશ અને કારકિર્દીમાં વૃદ્ધિ થાય છે. ચાલો તેના વિષે જાણીએ.

1/6

photoStories-logo

1. જળ અર્પણ

રવિવારના દિવસે સૂર્યપૂજા વખતે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે. ઘણા લોકો તો દરરોજ સૂર્યદેવને જળ ચઢાવે છે. આ સાધનાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે, કરિયરમાં પ્રગતિ મળે છે તેમજ ધન, અન્ન, સંતાન, યશ, પ્રતિષ્ઠા અને સરકાર તરફથી સહયોગ પ્રાપ્ત થાય છે. પરંતુ જો ખોટા વાસણથી સૂર્યને જળ ચઢાવવામાં આવે તો તેનો અશુભ પ્રભાવ પણ પડી શકે છે. તો ચાલો જાણીએ કે સૂર્યને કયા વાસણથી જળ અર્પણ કરવું જોઈએ અને લોખંડ, સ્ટીલ કે પ્લાસ્ટિકના લોટાથી અર્ઘ્ય આપવાથી શું થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સૂર્યને જળ અર્પણ કરવા માટે સૌથી શુભ વાસણ કયું?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવનું પ્રિય ધાતુ તાંબુ છે. એટલે તાંબાના લોટાથી સૂર્યને જળ ચઢાવવું સૌથી શુભ માનવામાં આવે છે. તાંબુ શુદ્ધ અને આરોગ્યવર્ધક ધાતુ પણ ગણાય છે. તાંબાના વાસણથી અર્ઘ્ય આપવાથી માન-સન્માન, યશ અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પિત્તળનો લોટો

જો તાંબાનું વાસણ ન હોય તો પિત્તળના લોટાથી પણ જળ અર્પણ કરી શકાય છે. પિત્તળ ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહનું પ્રિય ધાતુ છે. આ પણ પૂજા-પાઠ માટે ખુબ શુભ ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જળ અર્પણ કરવાની સાચી વિધિ અને મંત્ર

રવિવારે અથવા દરરોજ બ્રહ્મમુહૂર્તે ઉઠીને સ્નાન કરો. ત્યારબાદ સૂર્યોદય સમયે તાંબા કે પિત્તળના લોટામાં પવિત્ર જળ ભરો. તેમાં લાલ ચંદન કે રોળી, લાલ ફૂલો, થોડો ગોળ અને ઘઉં નાખો. પછી બંને હાથથી લોટો પકડીને “ॐ सूर्याय नमः” કે “ॐ घृणि सूर्याय नमः” મંત્રનું ઉચ્ચારણ કરતાં જળ અર્પણ કરો. જળ ધીમે-ધીમે વહેતું રાખવું જોઈએ. “ॐ घृणि सूर्याय नमः” બીજ મંત્ર છે અને તે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. જળ ચઢાવ્યા પછી સૂર્યદેવને પ્રણામ કરીને પોતાની મનોકામના વ્યક્ત કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. લોખંડ, સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણથી જળ ચઢાવવું યોગ્ય છે?

સૂર્યદેવને લોખંડ, સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણથી જળ ન ચઢાવવું જોઈએ. આ યોગ્ય નથી. લોખંડનો સંબંધ શનિ અને રાહુ સાથે છે. શનિ અને સૂર્ય વચ્ચે શત્રુતાનો ભાવ છે અને બંને વિરોધી સ્વભાવના છે. એ જ રીતે સ્ટીલ અને પ્લાસ્ટિકનો સંબંધ પણ શનિ-રાહુ સાથે જોડાયેલો છે. પૂજા-પાઠ અને ધાર્મિક અનુષ્ઠાનોમાં સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jal Arpan Sun vessel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ