બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મહાભારતના વિદુરે જણાવી હતી આ 5 મોટી ભૂલો, જે વ્યક્તિને બનાવે છે મૂર્ખ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / મહાભારતના વિદુરે જણાવી હતી આ 5 મોટી ભૂલો, જે વ્યક્તિને બનાવે છે મૂર્ખ

Last Updated: 08:03 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મહાભારતકાલીન મહાન નીતિશાસ્ત્રકાર મહાત્મા વિદુરની નીતિઓ આજે પણ જીવનમાં અત્યંત પ્રાસંગિક છે. વિદુર નીતિ અનુસાર, વ્યક્તિ ભલે ગમે તેટલો ભણેલો-ગણેલો કે બુદ્ધિશાળી હોય, પરંતુ જો તેનામાં કેટલીક ખરાબ આદતો હોય તો તે સમાજમાં અને લોકો વચ્ચે મહામૂર્ખ સાબિત થાય છે.

1/6

photoStories-logo

1. મહાભારતના વિદુરે જણાવી હતી આ 5 મોટી ભૂલો, જે વ્યક્તિને બનાવે છે મૂર્ખ

માનવ જીવનમાં સફળતા માત્ર ઉચ્ચ શિક્ષણ પર નિર્ભર નથી કરતી, પરંતુ વ્યક્તિના આચરણ, વર્તન અને આદતો પર પણ એટલી જ નિર્ભર રહે છે. વિદુર નીતિ અનુસાર, 5 એવી ખરાબ આદતો છે જે વિવેકી વ્યક્તિને પણ ખોટા નિર્ણયો લેવા માટે મજબૂર કરે છે અને તેને નિષ્ફળતા તરફ ધકેલે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અહંકાર

ઘણા લોકોને થોડું જ્ઞાન કે સફળતા મળતાં જ એવું લાગે છે કે તેઓ સૌથી મોટા વિદ્વાન બની ગયા છે. તેઓ પોતાને અન્ય લોકોથી શ્રેષ્ઠ માનવા લાગે છે. અહંકારી વ્યક્તિ હંમેશાં બીજાની સાચી વાત કે સારા ગુણોને નજરઅંદાજ કરે છે અને પોતાની ભૂલો સ્વીકારતી નથી. તેને લાગે છે કે તેને બધું જ આવડે છે અને આ જ વિચારસરણી તેના પતનનું કારણ બને છે. પોતાની સિદ્ધિઓ પર ગર્વ હોવો જોઈએ, પરંતુ અહંકાર ક્યારેય ન કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ક્રોધ

ગુસ્સો માણસની વિચારવાની અને સમજવાની ક્ષમતાને નષ્ટ કરી દે છે. ક્રોધમાં વ્યક્તિ ઘણીવાર એવા શબ્દો બોલે છે અથવા એવા નિર્ણયો લે છે, જેના માટે પાછળથી પસ્તાવો કરવો પડે છે. ગુસ્સાને કારણે સંબંધોમાં તણાવ ઊભો થાય છે. તેથી કોઈ પણ પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિક્રિયા આપવાને બદલે શાંત રહીને વિચારવું વધુ ઉત્તમ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આળસ

આળસ વ્યક્તિને તેના ધ્યેયથી દૂર લઈ જાય છે. આજનું કામ કાલે કરવાથી ક્યારેય સફળતા મળતી નથી. કામ ટાળવાની આદતથી કામનો બોજ વધતો જાય છે અને હાથમાં આવેલી તકો જતી રહે છે. જો તમે સમયની કિંમત નહીં સમજો તો સમય પણ તમારી કદર નહીં કરે, અને લોકો તમારાથી આગળ નીકળી જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઈર્ષ્યા

ડાહ્યા લોકો બીજાની સફળતામાંથી શીખ લે છે, જ્યારે ઈર્ષાળુ લોકો પોતાની પ્રગતિ પર ધ્યાન આપવાને બદલે સતત પોતાની સરખામણી બીજા સાથે કરીને નકારાત્મકતા વધારે છે. આ આદત વ્યક્તિના આત્મવિશ્વાસને નુકસાન પહોંચાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. લોભ

જરૂરિયાત કરતાં વધુ મેળવવાની ઈચ્છા વ્યક્તિને ખોટા રસ્તે દોરી જાય છે. લાલચુ વ્યક્તિ પાસે ગમે તેટલું ધન કે સુખ-સુવિધાઓ હોય, તેની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી. વધુ મેળવવાની સતત લાલસા માનસિક શાંતિ છીનવી લે છે. તેથી જીવનમાં સંતોષ અને પ્રામાણિક મહેનત અત્યંત જરૂરી છે. વિદુર નીતિનો મુખ્ય સંદેશ એ જ છે કે માણસે પોતાના આ અહંકાર, ક્રોધ, આળસ, ઈર્ષ્યા અને લોભ જેવા 5 દુર્ગુણો પર નિયંત્રણ રાખીને પોતાના વર્તન અને જીવનને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Motivation MahabharatWisdom VidurNiti
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ