બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ચેતજો! ગુજરાતમાં ભયાનક બની આ જીવલેણ બીમારી, એક વર્ષમાં 43 હજારથી વધુ લોકોના મોત

ચિંતાજનક / ચેતજો! ગુજરાતમાં ભયાનક બની આ જીવલેણ બીમારી, એક વર્ષમાં 43 હજારથી વધુ લોકોના મોત

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 05:53 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એક બીમારી ખૂબ પ્રાણઘાતક બની છે અને તેને કારણે રાજ્યમાં એક વર્ષમાં 43 હજાર લોકોના મોત થયાં છે. માટે બધાએ ચેતી જવાની જરુર છે.

ગુજરાતમાં એક મોટી બીમારી પ્રાણઘાતક સાબિત થઈ રહી છે. કહેવાય છે કે જેને થાય તેનું મોત નક્કી હોય છે પરંતુ વેળાસર પગલાં ભરવાથી તેમાંથી બચાવ થઈ શકે છે. રાજ્યમાં હવે કેન્સર ગંભીર રોગ બનતો હોય તેવા ચોંકવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કેન્સરના વધતા કેસો અને મૃત્યુઆંકને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં 43 હજારથી વધુ લોકોના કેન્સરના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ છેલ્લા પાંચ વર્ષમાં કેન્સરના કેસોમાં અંદાજે 10 ટકાનો વધારો નોંધાયો છે.

2025માં 79 હજાર કેન્સરના નવા કેસ

ગુજરાતમાં કેન્સર હવે ગંભીર જાહેર આરોગ્ય પડકાર બની રહ્યો છે. વર્ષ 2025ના અંદાજ મુજબ રાજ્યમાં આશરે 79 હજાર નવા કેન્સરના કેસ નોંધાયા, જ્યારે 43 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે. દરરોજ સરેરાશ 217 નવા કેસ અને 119 મૃત્યુ નોંધાઈ રહ્યા હોવાનું આંકડા દર્શાવે છે. કેન્સરની બીમારીથી લોકો જિંદગી ગુમાવી રહ્યા છે તેમજ અનેક પરિવારનો માળો વીંખાઈ રહ્યો છે...

  1. વર્ષ 2021
  2. કેસો 71507
  3. મૃત્યુ 39237

વર્ષ 2022

  1. કેસો 73382
  2. મૃત્યુ 40256

વર્ષ 2023

કેસો 75290

મૃત્યુ 41408

વર્ષ 2024

1.કેસો 77105

2.મૃત્યુ 42465

વર્ષ 2025

1.કેસો 79217

2.મૃત્યુ 43779

પાંચ વર્ષમાં કેન્સરમાં 10 ટકાનો વધારો

2021ની સરખામણીએ છેલ્લા પાંચ વર્ષમાં કેન્સરના કેસ અને મૃત્યુઆંકમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે. કેન્સરથી થતા મૃત્યુના મામલે ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં સામેલ હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. રાજકોટ સહીત ગુજરાતની સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલના આંકડા મુજબ પુરુષોમાં મોઢાનું કેન્સર અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. રાજ્યની આ હોસ્પિટલમાં અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે.

વધુ વાંચો : મોરબીના કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય ઉકેલાયું! કોઈ ચમત્કાર નહીં પણ... વૈજ્ઞાનિકોએ જણાવ્યું ‘આર્ટિઝન કંડિશન’ કારણ

કેન્સરથી કેવી રીતે બચવું

કેન્સરના નિષ્ણાત તબીબોનું કહેવું છે કે સમયસર સ્ક્રીનિંગ, તમાકુથી દૂર રહેવું, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અને વહેલું નિદાન કરાવવાથી કેન્સરના જોખમને ઘટાડવામાં અને સારવારના પરિણામોમાં સુધારો લાવી શકાય છે. ત્યારે લોકોમાં કેન્સરને લઈને ક્યારે જાગૃતતા આવશે તે જોવું રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cancer news gujarat cancer news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ