બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વૃદ્ધાશ્રમમાં પિતાએ છેલ્લી ઘડી સુધી દીકરીઓની રાહ જોઈ, દીકરીઓએ ₹5,100 મોકલી Video Call પર જોઈ અંતિમ વિદાય
Last Updated: 10:17 AM, 6 August 2026
Sonipat News: સોનીપતના એક વૃદ્ધાશ્રમમાં રહેતા 74 વર્ષીય કાપડના વેપારી શિવચરણ રામરતન ગુપ્તાનું લાંબી બીમારી બાદ અવસાન થયું. વૃદ્ધાશ્રમ સંચાલકો અનુસાર જાણ કર્યા છતાં તેમની ત્રણ પુત્રીઓ અંતિમ સંસ્કારમાં પહોચી ન હતી. પુત્રીઓએ 5100 રૂપિયા ઓનલાઈન મોકલ્યા અને સમગ્ર અંતિમ સંસ્કાર પ્રક્રિયા વિડિઓ કૉલ પર દેખાડવા અનુરોધ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સોનીપતમાંથી એક ભાવનાત્મક અને આઘાતજનક ઘટના સામે આવી છે જે સંબંધોના બદલાતા દૃશ્યને ઉજાગર કરે છે. એક પિતા પોતાની પુત્રીઓને મળવાની ઇચ્છા અધુરી લઇ મૃત્યુ પામ્યા, પરંતુ અંતિમ ક્ષણોમાં પણ દિકરીઓ તેમને મળવા પહોચી ન હતી. વૃદ્ધાશ્રમમાં રહેતા 74 વર્ષીય કાપડ ઉદ્યોગપતિ શિવચરણ રામરતન ગુપ્તાનું લાંબી બીમારી બાદ અવસાન થયું. તેમના મૃત્યુ પછી પણ તેમની ત્રણ પુત્રીઓમાંથી કોઈએ અંતિમ સંસ્કારમાં હાજરી આપી ન હતી. સમગ્ર અંતિમ સંસ્કાર પ્રક્રિયા વિડિઓ કૉલ દ્વારા બતાવવામાં આવી હતી.
માહિતી અનુસાર મહારાષ્ટ્રના રહેવાસી શિવચરણ રામરતન ગુપ્તા એક સમયે એક અગ્રણી કાપડ ઉદ્યોગપતિ હતા. તેઓ લગભગ દોઢ વર્ષ પહેલા તેમની પત્ની મીના ગુપ્તા સાથે સોનીપત વૃદ્ધાશ્રમમાં રહેવા ગયા હતા. તેમને કોઈ સંતાન નહોતું. તેમણે પોતાની ત્રણ દીકરીઓને શિક્ષિત કરી અને તેમને આત્મનિર્ભર બનાવી. તેમાંથી બે શિક્ષિકા છે. તેમની પત્ની મીના ગુપ્તાનું પણ થોડા સમય પહેલા અવસાન થયું. તેમની પત્નીના અવસાન પછી શિવચરણ ગુપ્તા વૃદ્ધાશ્રમમાં રહેતા હતા.
ADVERTISEMENT
ત્રણ દીકરીઓને તેમની બીમારીની જાણ 20 દિવસ પહેલા જ કરવામાં આવી હતી
વૃદ્ધાશ્રમના સુત્રોએ જણાવ્યું હતું કે લગભગ 20 દિવસ પહેલા જ્યારે શિવચરણ ગુપ્તાની તબિયત બગડી, ત્યારે તેમની ત્રણ દીકરીઓ - અનિતા, નિશા અને પ્રિયાને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈએ તેમને મળવા આવ્યુ ન હતું. આનંદ કુમારના જણાવ્યા મુજબ શિવચરણ ગુપ્તા પાસે એક મોબાઇલ ફોન હતો, જેનો ઉપયોગ તેઓ તેમની દીકરીઓ સાથે વાતચીત કરવા માટે કરતા હતા. જોકે તેમની બીમારી વધુ થતાં તેમની દીકરીઓએ તેમને ફોન કરવાનું બંધ કરી દીધું. જ્યારે વૃદ્ધાશ્રમે ફરીથી તેમનો સંપર્ક કર્યો, ત્યારે તેઓ હજુ પણ આવ્યા ન હતા. આનંદ કુમારે જણાવ્યું હતું કે શિવચરણ ગુપ્તાનું મોડી રાત્રે અવસાન થયું. તેમ છતાં પુત્રીઓને જાણ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ આવી રહી છે, તો અંતિમ સંસ્કાર ત્યાં સુધી રોકી રાખી શકાય છે. જો કે, તેઓએ આવશે તેમ કહ્યુ ન હતું.
ADVERTISEMENT
શિવચરણ ગુપ્તાની મોટી પુત્રી અનિતા નેપાળમાં શિક્ષિકા છે. તેમની બીજી પુત્રી નિશા ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રહે છે, જ્યારે તેમની નાની પુત્રી પ્રિયા મુંબઈમાં રહે છે. વૃદ્ધાશ્રમ વ્યવસ્થાપન અનુસાર ત્રણેય પુત્રીઓ અંતિમ સંસ્કારમાં હાજર રહી ન હતી. તેઓએ વિડિઓ કોલ દ્વારા અગ્નિસંસ્કાર પ્રક્રિયા જોઈ. મોટી પુત્રી અનિતાએ 5,100 રૂપિયા ઓનલાઈન મોકલ્યા અને વિનંતી કરી કે તેના પિતાના અંતિમ સંસ્કાર વિધિ-વિધાન મુજબ કરવામાં આવે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ Weather Forecast / 17 રાજ્યોમાં મોનસૂનનો કહેર! દિલ્હી-ઉત્તરાખંડથી ગુજરાત સુધી ભારે વરસાદ, અહીં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત
સમુદાયના સભ્યોએ અંતિમ સંસ્કારની સંપૂર્ણ જવાબદારી નિભાવી
ADVERTISEMENT
વૃદ્ધાશ્રમ સંચાલકો અનુસાર પુત્રીઓએ શરૂઆતમાં વિનંતી કરી હતી કે અસ્થિયાં સુરક્ષિત રાખવામાં આવે. બાદમાં તેઓએ કહ્યું કે તેમની પાસે આવવાનો સમય નથી અને ગૃહ વ્યવસ્થાપન દ્વારા રાખને ગંગામાં વિસર્જન કરે. અંતિમ સંસ્કાર પૂર્ણ થયા પછી પુત્રીઓએ વિડિઓ કોલ દ્વારા સમગ્ર પ્રક્રિયા જોઇ અને વિનંતી કરી કે અંતિમ સંસ્કારનો વિડિઓ તેમને મોકલવામાં આવે. ત્યારબાદ સમુદાયના સભ્યો અને ગૃહ વ્યવસ્થાપન દ્વારા સંયુક્ત રીતે શિવચરણ રામરતન ગુપ્તાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.