બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / 12 કે 13 ઓગસ્ટ? સૂર્યગ્રહણની તારીખને લઈને મૂંઝવણ દૂર કરો, જાણો ક્યારે લાગશે વર્ષનું છેલ્લું ગ્રહણ
6 ફોટો ગેલેરી
Last Updated: 04:30 PM, 6 August 2026
1/6
12 ઓગસ્ટે થનારા સંપૂર્ણ સૂર્યગ્રહણ વિશે જાણવા માટે સૌ કોઈ જાણવા માંગે છે. ભારતમાં આ ગ્રહણ શ્રાવણ શિવરાત્રી એટલે કે 11 ઓગસ્ટની આસપાસના સમયગાળા દરમિયાન આવી રહ્યું છે, તેથી તેની ચોક્કસ તારીખ અને સમય જાણવો મહત્વપૂર્ણ છે. 'દ્રિક પંચાંગ' અનુસાર, આ સંપૂર્ણ સૂર્યગ્રહણ બુધવાર, 12 ઓગસ્ટ 2026ના રોજ શરૂ થશે. જોકે, તેનો અંતિમ તબક્કો મધ્યરાત્રિ પછી પણ ચાલુ રહેશે અને 13 ઓગસ્ટની સવારે પૂર્ણ થશે. આ એક દુર્લભ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે, જેને ખગોળીય અને જ્યોતિષીય બંને દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
2/6
ભારતીય માનક સમય અનુસાર, આ ગ્રહણ 12 ઓગસ્ટના રોજ રાત્રે 9:04 વાગ્યે શરૂ થશે અને 13 ઓગસ્ટના રોજ વહેલી સવારે 1:27 વાગ્યે સમાપ્ત થશે. સંપૂર્ણ સૂર્યગ્રહણ રાત્રે 10:28 વાગ્યે દૃશ્યમાન થશે અને રાત્રે 11:16 વાગ્યે તે તેની ચરમસીમા પર હશે. ગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક, 23 મિનિટ અને 40 સેકન્ડનું રહેશે.
3/6
4/6
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, 12 ઓગસ્ટે થનારું સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. તેના બદલે, તે ઉત્તર રશિયા, ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ, ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને સ્પેન તથા પોર્ટુગલના કેટલાક ભાગોમાં જોવા મળશે. આ ઉપરાંત, યુરોપના મોટા ભાગો, કેનેડાનો મોટાભાગનો વિસ્તાર, ઉત્તર અમેરિકાના કેટલાક ભાગો અને ઉત્તર-પશ્ચિમ આફ્રિકામાં આ ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ તરીકે જોવા મળશે.
5/6
શાસ્ત્રો અનુસાર, સૂર્યગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલાં 'સૂતક' કાળ શરૂ થાય છે. જોકે, ધાર્મિક નિયમો મુજબ સૂતક કાળ માત્ર એવા સ્થળોએ જ લાગુ પડે છે જ્યાં ગ્રહણ સીધું જોઈ શકાતું હોય. ભારતમાં આ ગ્રહણ દેખાવાનું ન હોવાથી, આ દિવસે સૂતક કાળ પાળવામાં આવશે નહીં. મંદિરોના દ્વાર હંમેશની જેમ ખુલ્લા રહેશે અને પૂજા-અર્ચના, શુભ કાર્યો કે દૈનિક ધાર્મિક વિધિઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
6/6
જોકે આ ગ્રહણ કદાચ ભારતમાં દૃશ્યમાન ન હોય, તેમ છતાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્ય અને અન્ય ગ્રહોનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર સૂક્ષ્મ પ્રભાવ પાડે છે. મેષ, સિંહ અને ધન રાશિના જાતકો માટે કારકિર્દીમાં પ્રગતિ અને આર્થિક લાભની નવી તકો ઊભી થઈ શકે છે. બીજી તરફ, કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોએ નાણાકીય વ્યવહારો અને સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ