બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / બગદાણાવાળા બજરંગદાસ બાપાના આશ્રમની લોકોને અપીલ, AI, રીલ્સના ઉપયોગ અંગે કરી વાત

શ્રદ્ધા / બગદાણાવાળા બજરંગદાસ બાપાના આશ્રમની લોકોને અપીલ, AI, રીલ્સના ઉપયોગ અંગે કરી વાત

Published By: Hiralal Parmar
Reported By: Kishan Baraiya

Last Updated: 04:21 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બગદાણા આશ્રમે ભક્તોને એક ભાવભીની અપીલ કરી છે જેને ભક્તોએ દિલથી લેવી જોઈએ અને જેમ કહ્યું છે તેવું કરવું જોઈએ તો જ બાપાની ગરિમા જળવાઈ રહે.

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને AI ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે સંત શ્રી બજરંગદાસ બાપા વિશે ફેલાવવામાં આવતી કાલ્પનિક વાતો અને બનાવટી ચિત્રો એક અત્યંત ગંભીર બાબત છે. પૂજ્ય બાપાનું સમગ્ર જીવન પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રત્યેની અગાધ શ્રદ્ધા, અખંડ સીતારામ જાપ, સરળતા અને બગદાણા ધામમાં સદાવ્રત જેવી પરમ સેવાભાવના પર આધારિત હતું.

બગદાણા આશ્રમે પોસ્ટ બહાર પાડી

બગદાણા આશ્રમે એક પોસ્ટ બહાર પાડીને કહ્યું કે બાપાએ કયારેય ચમત્કારોનો દાવો નથી કર્યો, પરંતુ પોતાની સાધના અને રામનામના બળે કરોડો શ્રદ્ધાળુઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ આજે માત્ર વ્યુઝ અને લાઈકસ મેળવવાની ઘેલછામાં લોકો AI વડે કલ્પનાશીલ ફોટા અને મનઘડંત કહાનીઓ જોડીને રીલ્સ બનાવી રહ્યા છે, જે પૂજ્ય બાપાના વાસ્તવિક અને પવિત્ર સ્વરૂપ સાથે મોટો અન્યાય છે.

AIથી બનેલા બજરંગદાસ બાપાના ફોટા શેર ન કરો

બગદાણા આશ્રમે લોકોને અપીલ કરતા કહ્યું કે AIથી બનેલા બજરંગદાસ બાપાના ફોટા શેર ન કરો અને પૂજ્ય બાપાના મૂળ સ્વરુપને જાળવી રાખવું જોઈએ. બગદાણા આશ્રમે કહ્યું કાલ્પનિક વાર્તાઓથી બાપાની છબી વિકૃત ન કરો અને AI ફોટા અને મનઘડંત રીલ્સથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે આવનારી પેઢી સુધી

બાપાનો સાચો વારસો પહોંચાડવો જોઈએ.આશ્રમે એવું પણ કહ્યું કે સંતો શ્રદ્ધાનો વિષય છે, નહીં કે મનોરંજનનો.

બાપાએ ક્યારેય ચમત્કારોનો દાવો કર્યો નથી

આશ્રમે કહ્યું કે બજરંગદાસ બાપાએ ક્યારેય ચમત્કારોનો દાવો કર્યો નહોતો. આશ્રમ વતી એવું પણ કહેવાયું કે ભક્તોએ બાપાનો સાચો ઈતિહાસ અને સાચી ભક્તિ જાળવી રાખવી જોઈએ.

સંતો મનોરંજનનો નહીં શ્રદ્ધાનું પ્રતીક

આ પરિસ્થિતિમાં આપણી સૌની નૈતિક ફરજ બને છે કે આવી અવાસ્તવિક રીલ્સ કે ફોટાને આગળ શેર ન કરીએ અને તેને પ્રોત્સાહન આપવાનું બંધ કરીએ. સંતો એ કોઈ કલ્પના કે મનોરંજનનો વિષય નથી પણ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bagdana ashram

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ