બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બાળકના એક જવાબથી 6.56 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો, જાણો બાળકે એવું તો શું કહ્યું કે..
Last Updated: 04:06 PM, 6 August 2026
રામોલ વિસ્તારમાં આવેલા સિંધવાઈ ગામમાં ૬.પ૬ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ પરિવારના નવ વર્ષના બાળકના એક જવાબથી ઉકેલાયો છે. પાન પાર્લર ચલાવતા વિનય ભરવાડે રામોલ પોલીસ મથકમાં ખુશી પટેલ અને પ્રશાંત ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વિનય સંયુક્ત પરિવારમાં રહે છે.
ADVERTISEMENT
તેમનાં પત્ની કૃષ્ણા વીજળી બિલ ભરવા માટે તિજોરી ખોલવા ગયાં ત્યારે અંદર રાખેલા દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. સમગ્ર ઘરમાં શોધખોળ કરવા છતાં દાગીના મળી આવ્યા નહોતા. ત્યાર બાદ દંપતીએ પોતાના નવ વર્ષના પુત્રને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઘરમાં કોઈ ન હતું ત્યારે ખુશી દીદી ઘરે આવ્યાં હતાં. ખુશી સામે રહેતા સુરેશભાઈની ભત્રીજી હોવાથી તે અવારનવાર બાળકો સાથે રમવા માટે વિનયના ઘરે આવતી હતી.
આ પણ વાંચો- સિંહ અને દીપડાના હુમલાથી નહીં થંભ્યો ખતરો, હવે રીંછે મચાવ્યો આતંક, 5 લોકો થયા ઘાયલ
ADVERTISEMENT
શંકાના આધારે ખુશીને પૂછતાં તે ગભરાઈ ગઈ હતી અને કૃષ્ણાને કહ્યું હતું કે તેનાથી ભૂલ થઈ ગઈ છે, કોઈને જાણ ન કરવા અને દાગીના પરત આપી દેવાની વાત કરી હતી. તેણે કેટલાક દાગીના પરત આપ્યા હતા અને બાકીના જન્મ દિવસની પાર્ટીમાંથી આવીને આપવાનું કહ્યું હતું. પછી ખુશી પોતાના પિતાના ઘરે જતી રહી હતી.
ત્યાં પહોંચેલાં વિનય અને કૃષ્ણા સમક્ષ ખુશીએ કબૂલ્યું હતું કે પ્રશાંત ઠાકોરને સોસાયટીમાં આવવા બાબતે ઠપકો આપતાં તેનો બદલો લેવા માટે તેણે ઘરમાંથી દાગીના ચોરી કર્યા હતા. ફરિયાદ મુજબ પ્રશાંતે ચોરી કરાયેલા કેટલાક દાગીના વેચી પણ દીધા હતા. સમગ્ર ઘટનાના આધારે વિનયે બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી દાગીનાની ચોરી અને વેચાણના સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.