બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સિંહ અને દીપડાના હુમલાથી નહીં થંભ્યો ખતરો, હવે રીંછે મચાવ્યો આતંક, 5 લોકો થયા ઘાયલ
Last Updated: 03:35 PM, 6 August 2026
બનાસકાંઠાના પાલનપુર નજીકના હસનપુરા ગામે રીંછના હુમલામાં એક મહિલા સહિત પાંચ લોકો ઘાયલ થતાં વન વિભાગે સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને તેમની હાલત સ્થિર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
ADVERTISEMENT
ઘટના બાદ વન વિભાગે રીંછને શોધવા અને રેસ્ક્યૂ કરવા માટે ટીમો તહેનાત કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રાથમિક રીતે એક વ્યક્તિ પર હુમલો થયા બાદ બચાવ માટે દોડી આવેલા અન્ય ચાર લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. હાલ બાલારામ-અંબાજી અભયારણ્ય અને આસપાસના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.
વન વિભાગે ઘાયલોને સરકારની જોગવાઈ મુજબ વળતર આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. રીંછનું ચોક્કસ લોકેશન મળતાં જ ટ્રેન્ક્યુલાઇઝર ગન સાથેની વિશેષ રેસ્ક્યૂ ટીમને કાર્યવાહી માટે તૈયાર રાખવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ બાલારામ-અંબાજી વિસ્તાર ઉત્તર ગુજરાતના સ્લોથ બેર કોરિડોરનો ભાગ હોવાથી અહીં રીંછની અવરજવર સામાન્ય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- કોરોના વોરિયર’ની યાદીમાં કોવિડ પહેલાં મૃત્યુ પામેલા પોલીસકર્મીનું નામ! અમદાવાદ પોલીસના પોર્ટલ પર સવાલો
વન વિભાગના જણાવ્યા મુજબ આ સમયગાળામાં સામાન્ય રીતે રીંછ આક્રમક બનતાં નથી. હુમલો કયાં કારણોસર થયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ લોકોને જંગલ વિસ્તાર અને અભયારણ્યની આસપાસ સાવચેતી રાખવા તેમજ રીંછ દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.