બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Rajpal Yadavની વધી મુશ્કેલી! ₹16 કરોડથી વધુના દેવામાં ડૂબ્યા, બેંકે સંપત્તિ હરાજીની નોટિસ ચોંટાડી
Last Updated: 12:54 PM, 6 August 2026
Rajpal Yadav Notice: રાજપાલ યાદવ પર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું 16 કરોડ 61 લાખ રૂપિયાનું દેવું છે, જેના કારણે બેંકે શાહજહાંપુર અને મુંબઈમાં તેમની બે મોટી મિલકતોની હરાજી કરવાની નોટિસ કાઢી છે. અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. નવ કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ બાદ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ હવે લોન વસૂલવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે.
ADVERTISEMENT
શાહજહાંપુરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની મુંબઈ શાખાએ તેમની બે મોટી મિલકતોની હરાજી માટે નોટિસ જારી કરી છે. રાજપાલ યાદવ પર બેકનું 16 કરોડ 61 લાખ 64 હજારનું દેવું હતું. રાજપાલ યાદવે ફિલ્મ "અતા પતા લપતા" માટે આ લોન લીધી હતી.
રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં વધારો
ADVERTISEMENT
બેંક વસૂલાત અધિકારીઓ શાહજહાંપુરમાં રાજપાલના પૈતૃક ગામ પહોચ્યા હતા. તેમણે અભિનેતાની મિલકતો પર હરાજીની નોટિસ લગાવી. બેંકનો દાવો છે કે આ રકમમાં લોન અને લોન પરનું વ્યાજ શામેલ છે.
માહિતી અનુસાર રાજપાલ શાહજહાંપુરમાં બે મિલકતોના માલિક છે. એક શહેરમાં છે, અને તેનું ગામમાં એક ખેતર અને એક ઘર છે. શાહજહાંપુરમાં બંને મિલકતોની કિંમત ₹3 કરોડ 19 લાખ 26 હજાર અંદાજવામાં આવી છે. આ મિલકતોની 9 સપ્ટેમ્બર 2026 ના ઓનલાઈન હરાજી કરવામાં આવશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મનોરંજન / લગ્ન પહેલાં જ માતા બનવા માંગે છે આમ્રપાલી દુબે, સાંભળીને ચોંકી ગયા નિરહુઆ
ADVERTISEMENT
રાજપાલ યાદવે લોન માટે કોલેટરલ તરીકે તેમની પત્ની રાધા યાદવ અને તેમની માતા ગોદાવરી યાદવની મિલકતો ગીરવે મૂકી હતી. શાહજહાંપુર ઉપરાંત મુંબઈમાં તેમની મિલકતોની હરાજી કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. બેંક હવે નિયમો અનુસાર વધુ વસૂલાત પ્રક્રિયાઓ પૂર્ણ કરશે. જો બાકી રકમ સમયસર ચૂકવવામાં નહીં આવે સંબંધિત મિલકતોની હરાજી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.