બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / આ અભિનેતાના સેવાકાર્યથી પ્રભાવિત થયા સલમાન ખાન, આસામ પૂર પીડિતો માટે લીધો મહત્વનો નિર્ણય

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / આ અભિનેતાના સેવાકાર્યથી પ્રભાવિત થયા સલમાન ખાન, આસામ પૂર પીડિતો માટે લીધો મહત્વનો નિર્ણય

Last Updated: 05:48 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અસમમાં આવેલી વિનાશકારી પૂરની હોનારતમાંથી બહાર આવી રહેલા પરિવારો માટે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને મોટી રાહત અને પુનર્વસન કામગીરી હાથ ધરી છે.

1/5

photoStories-logo

1. આ અભિનેતાના સેવાકાર્યથી પ્રભાવિત થયા સલમાન ખાન, આસામ પૂર પીડિતો માટે લીધો મહત્વનો નિર્ણય

અસમમાં આવેલી વિનાશક પૂરની પરિસ્થિતિમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન પૂરપીડિતો માટે દેવદૂત બનીને સામે આવ્યા છે. ખોરાક અને રાશન સામગ્રી પહોંચાડ્યા બાદ હવે તેમની સંસ્થા Being Human એ Global Sikhs સાથે મળીને પૂરગ્રસ્ત પરિવારો માટે 500 ઘર બનાવવાનો સંકલ્પ લીધો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પૂરપીડિતો માટે 500 ઘરો બનાવવાનો સંકલ્પ

અસમમાં આવેલી વિનાશકારી પૂરની હોનારતમાંથી બહાર આવી રહેલા પરિવારો માટે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને મોટી રાહત અને પુનર્વસન કામગીરી હાથ ધરી છે. શરૂઆતી તબક્કામાં ભોજન અને જરૂરી સામગ્રી પહોંચાડ્યા બાદ હવે તેમની બિન-સરકારી સંસ્થા 'Being Human' એ એનજીઓ 'Global Sikhs' સાથે મળીને પૂરપીડિતો માટે 500 અર્ધ-સ્થાયી (Semi-Permanent) ઘરો બનાવવાનો મોટો સંકલ્પ લીધો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 'આશિયાના' અભિયાન અને ઘરોની વિશેષતા

સલમાન ખાનની Being Human અને Global Sikhs ના સંયુક્ત પ્રોજેક્ટ 'આશિયાના' હેઠળ પૂર પ્રભાવિત પરિવારો માટે ખાસ પ્રકારના ઘર બનાવવામાં આવી રહ્યા છે. આ ઘરો વાંસ (Bamboo) અને ટીન શીટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવનારા પૂરની અસરથી તેને બચાવી શકાય. દરેક ઘરના નિર્માણનો અંદાજિત ખર્ચ ₹35,000 થી ₹40,000 ની આસપાસ જણાવવામાં આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રણદીપ હુડ્ડાના વિડીયોથી મળી પ્રેરણા

સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન ખાને અભિનેતા રણદીપ હુડ્ડાના પૂર રાહત કાર્ય સાથે જોડાયેલા વિડીયો જોયા બાદ આ અભિયાનમાં રસ દાખવ્યો હતો. ત્યારબાદ તેમણે રણદીપ સાથે સંપર્ક કરીને પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ જાણી હતી. રણદીપે તેમને માહિતી આપી હતી કે Global Sikhs ના આશરે 70 સ્વયંસેવકો સતત જમીની સ્તર પર કામ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 220 ઘરોનું નિર્માણ પૂર્ણ

Global Sikhs ના સ્થાપક અમરપ્રીત સિંહે સલમાન ખાનને ફ્લડ-રેસિસ્ટન્ટ ઘરો બનાવવાની યોજના વિશે માહિતી આપી હતી, જેનાથી પ્રભાવિત થઈને સલમાન ખાને તરત જ આર્થિક સહયોગ આપવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં સૌથી વધુ પ્રભાવિત શિવસાગર જિલ્લાના નેપાલી ખુટી વિસ્તારમાં પ્રથમ તબક્કામાં 220 ઘરો તૈયાર કરી દેવાયા છે અને તે પરિવારોને સોંપવામાં આવી રહ્યા છે. સંસ્થા દરરોજ 8 થી 10 ઘરો બનાવી રહી છે. આ પહેલા Being Human એ સ્થાનિક ફેન ક્લબ્સ સાથે મળીને રાશન અને આવશ્યક સામગ્રી પણ પહોંચાડી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RandeepHooda AssamFloods SalmanKhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ