બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:02 AM, 9 August 2026
વર્ષ 2016માં શરૂ થયેલું UPI આજે ભારતમાં ડિજિટલ પેમેન્ટનું સૌથી સરળ અને ઝડપી માધ્યમ બની ચૂક્યું છે. મોબાઈલથી ક્ષણવારમાં પૈસા મોકલવાની સુવિધાને કારણે રોકડ પરની નિર્ભરતા ઘટી ગઈ છે. જોકે, UPI પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એટલે કે ચાર્જ લાગવાની ચર્ચાએ આમ આદમીની ચિંતા વધારી દીધી હતી. હવે સરકારે આ સમગ્ર વિવાદ પર ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સરકારે સ્પષ્ટ કર્યું છે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ (P2P) વચ્ચે થતા UPI ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે. જો તમે પરિવાર, મિત્રો કે અન્ય કોઈ વ્યક્તિને UPI દ્વારા પૈસા મોકલો છો, તો તેના પર કોઈ પ્રોસેસિંગ કે ટ્રાન્ઝેક્શન ફી આપવી નહીં પડે. રોજિંદા ડિજિટલ પેમેન્ટ પર સામાન્ય નાગરિકો પાસેથી શુલ્ક લેવાની હાલમાં કોઈ યોજના નથી.
✅ No Charges for UPI Users
— Ministry of Finance (@FinMinIndia) August 8, 2026
✅ Vast Majority of the Transactions to Remain Free of Charge for Merchants as well
✅ Amendment to the Payment and Settlement Systems Act (PSS Act) an Enabling Provision to Ensure further proliferation of Financial Inclusion, UPI’s Long-Term… pic.twitter.com/b6QYTgiw8a
ADVERTISEMENT
દુકાનદારોમાં એવી ચિંતા હતી કે MDR લાગુ થયા બાદ દરેક ડિજિટલ ચૂકવણી પર તેમનો ખર્ચ વધી જશે. સરકારે આ અંગે સ્પષ્ટતા કરી છે કે મોટાભાગના મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન ફ્રી જ રહેશે. જો ભવિષ્યમાં MDR લાગુ કરવામાં આવે તો પણ તે માત્ર કેટલાક પસંદગીના અને મોટા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન સુધી જ મર્યાદિત રહેશે. તમામ દુકાનદારો કે તમામ UPI ચુકવણીઓ પર એકસાથે ચાર્જ લગાવવાની કોઈ યોજના નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
સરકારના જણાવ્યા અનુસાર, UPI પર MDR લાગુ કરવા અંગે હજુ આખરી નિર્ણય લેવાયો નથી. આ માટે ચોક્કસ મર્યાદા (Threshold) નક્કી કરવામાં આવશે અને સંભવિત શુલ્ક પણ અત્યંત મામૂલી હશે, જે ડેબિટ અને ક્રેડિટ કાર્ડના MDR દર કરતાં ઘણો ઓછો હશે. આ અંગેનો અંતિમ નિર્ણય સંસદમાં સંબંધિત કાયદામાં સુધારો કર્યા બાદ જ લેવાશે.
ADVERTISEMENT
UPI નો ઉપયોગ સતત વધી રહ્યો છે અને તેની સાથે સાયબર સુરક્ષા, ફ્રોડ અટકાવવા તથા ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે રોકાણની જરૂરિયાત વધી છે. જુલાઈ 2026 માં UPI પર આશરે 2,366 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેની કુલ કિંમત લગભગ ₹29.9 લાખ કરોડ રહી હતી. સરકારનું માનવું છે કે UPI સિસ્ટમને લાંબા ગાળા સુધી મજબૂત અને ટકાવી રાખવા માટે માત્ર સરકારી સબસિડી પર નિર્ભર રહેવું પૂરતું નથી, તેથી ભવિષ્યના રેવેન્યુ મોડેલ પર વિચારણા થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.