બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મોબાઈલ સાથે ટોઈલેટમાં બેસવાથી 4 બીમારીનો ખતરો, ન્યૂટ્રિશનિસ્ટે આપ્યું કારણ
Last Updated: 01:32 AM, 20 March 2026
હાલના જમાનામાં ટોઇલેટમાં મોબાઈલ ફોન લઈને બેસવું એ એક સામાન્ય આદત બની ગઈ છે. લોકો ઘણીવાર ટોયલેટ સીટ પર વધુ પડતો સમય પસાર કરે છે, ખાસ કરીને જ્યારે તેઓ તેમના ફોન પર સ્ક્રોલ કરવામાં વ્યસ્ત હોય છે. પરંતુ આ આદત ધીમે ધીમે આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. એવામાં ન્યૂટ્રિશનિસ્ટના મતે, લાંબા સમય સુધી બાથરૂમમાં બેસવાથી શરીરના વિવિધ ભાગો પર દબાણ આવે છે, જેના કારણે હરસ, કબજિયાત અને પેલ્વિક સ્નાયુઓની સમસ્યાઓ થઈ શકે છે. ચાલો તેના વિષે જાણીએ.
ADVERTISEMENT
લાંબા સમય સુધી ટોયલેટ પર બેસવાથી ગુદામાર્ગ અને ગુદામાં નસો પર દબાણ વધે છે. આ સોજો અને બળતરા પેદા કરી શકે છે, જે હરસ તરફ દોરી શકે છે. લાંબા સમય સુધી બેસવાથી રક્ત પરિભ્રમણ પણ ધીમું થાય છે, જે સમસ્યાને વધુ ખરાબ કરે છે.
ADVERTISEMENT
આપણા શરીરમાં શૌચક્રિયાની કુદરતી પ્રોસેસ છે. લાંબા સમય સુધી જરૂરિયાત વગર બેસી રહેવાથી આ કુદરતી ઇચ્છા કમજોર પડે છે. આ મળને સખત બનાવે છે અને કબજિયાતને વધુ ખરાબ કરી શકે છે. આ સિવાય વધુ પડતી તાણ ગુદામાર્ગના દબાણમાં પણ વધારો કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
લાંબા સમય સુધી બેસી રહેવાથી પેલ્વિક ફ્લોરના સ્નાયુઓ કમજોર પડી શકે છે. આ મૂત્રાશયને અસર કરે છે અને ક્યારેક ઉઠ્યા બાદ થોડી માત્રામાં પેશાબ પણ નીકળી શકે છે. જો આ આદત બદલવામાં ન આવે તો આ સમસ્યા ધીમે ધીમે વધી શકે છે.
બેક્ટેરિયા અને ઇન્ફેકશનનું જોખમ
ADVERTISEMENT
બાથરૂમમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી ફોન પર બેક્ટેરિયા ભેગા થાય છે. જ્યારે તમે ફ્લશિંગ કે સફાઈ કર્યા બાદ ફોનને ટચ કરો છો ત્યારે આ બેક્ટેરિયા તમારા હાથમાં અને પછી તમારા શરીરમાં ટ્રાન્સફર થઈ શકે છે. આ સિવાય ફોનમાંથી નીકળતી ગરમી બેક્ટેરિયાના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
ADVERTISEMENT
તમારા મોબાઇલ ફોનને બાથરૂમમાં લઈ જવાનું બંધ કરો, ત્યાં વધુ સમય ન પસાર કરો, તમારા શરીરના કુદરતી સંકેતોને સમજો, તમારી સ્વચ્છતાનું ધ્યાન રાખો.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.