બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શાળાઓમાં બદલાશે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની રીત! હવે ‘પાસ-નાપાસ’ નહીં, ‘ઉદયમાન-નિપુણ’થી થશે ઓળખ
Last Updated: 05:20 PM, 7 August 2026
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાના ગુણથી નહીં, પરંતુ તેમની વાસ્તવિક શૈક્ષણિક ક્ષમતાના આધારે કરવામાં આવશે. બાલવાટિકાથી ધોરણ-પ સુધીના વિદ્યાર્થીઓનો વાંચન, લેખન અને ગણન સર્વે પૂર્ણ થયા બાદ તેમને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ૦થી ૩૦ ટકા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને ‘ઉદયમાન’, ૩૦થી ૮૦ ટકા ગુણ મેળવનારને ‘પ્રગતિશીલ’ અને ૮૦ ટકાથી વધુ ગુણ મેળવનારને ‘નિપુણ’ તરીકે ઓળખ આપવામાં આવશે.
ADVERTISEMENT
ખાસ કરીને ‘ઉદયમાન’ કેટેગરીમાં આવેલાં બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે રાજ્યભરમાં ઉપચારાત્મક શિક્ષણની અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ પ્રક્રિયાને ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી મિશન સાથે જોડીને બાળકોની મૂળભૂત શૈક્ષણિક ક્ષમતા મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામથી ઓળખવામાં આવતા હતા, પરંતુ હવે દરેક બાળકની વ્યક્તિગત લર્નિંગ પ્રોફાઇલ તૈયાર થશે અને તેના આધારે શિક્ષણ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ કોલ કરવાના બહાને iPhone લીધો, પછી મહિલાની સોનાની બુટ્ટી ઉતરાવી લૂંટ ચલાવી
ADVERTISEMENT
સૌથી વધુ ધ્યાન ‘ઉદયમાન’ વિદ્યાર્થીઓ પર કેન્દ્રિત કરવામાં આવશે. આવાં બાળકો માટે નિયમિત અભ્યાસ ઉપરાંત વિશેષ ઉપચારાત્મક વર્ગો, વધારાનો અભ્યાસ સમય, વ્યક્તિગત માર્ગદર્શન અને સતત પ્રગતિનું મોનિટરિંગ કરવામાં આવશે. શિક્ષકોને પણ આ વિદ્યાર્થીઓની પ્રગતિ માટે અલગ આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગે આ પ્રક્રિયાને ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી મિશન સાથે જોડીને બાળકોની મૂળભૂત શૈક્ષણિક ક્ષમતા મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.