બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શરીર બગાડશે શેરડીનો રસ, આ મહિનામાં બિલકુલ ન પીતાં, યોગાચાર્યે આપ્યું કારણ

હેલ્થ / શરીર બગાડશે શેરડીનો રસ, આ મહિનામાં બિલકુલ ન પીતાં, યોગાચાર્યે આપ્યું કારણ

Nirav Kumar

Last Updated: 07:19 PM, 19 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે, ઉનાળામાં ખૂબ પીવાતો શેરડીનો રસ આ દરમિયાન બે મહિના ના પીવો જોઈએ? આની પાછળ આયુર્વેદિક કારણ છે. ચાલો તેની વિશે જાણીએ.

શિયાળો શરૂ થતાં જ ઠંડી વસ્તુ પીવાની ઈચ્છા થાય છે. જેમાં રસ્તાના કિનારે મળતો તાજો શેરડીનો રસ લોકો ખૂબ પીવે છે. તેનો તાજો સ્વાદ શરીર અને મન બંનેને ઠંડક આપે છે. આ કોલ્ડ ડ્રીંક એક હેલ્થી અને સ્વાદિષ્ટ ઓપ્શન બને છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળાના બે મહિના એવા હોય છે જ્યારે શેરડીનો રસ ના પીવો જોઈએ?

યોગ એક્સપર્ટ અનુસાર ચૈત્ર મહિનામાં, એટલે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં ભૂલથી પણ શેરડીનો રસ ના પીવો જોઈએ. આયુર્વેદ એના માટે અનેક કારણો જણાવે છે. આ બે મહિના દરમિયાન શેરડીનો રસ પીવાની સલાહ આપતું નથી. કેમ કે, તેની અનેક નકારાત્મક સ્વાસ્થ્ય અસરો થઈ શકે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

  • ચૈત્ર મહિનામાં શેરડીની ગુણવત્તા પડે છે કમજોર

ચૈત્ર મહિનામાં એટલે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ. યોગા એક્સપર્ટ મુજબ, આની પાછળનું એક કારણ એ છે કે માર્ચ અને એપ્રિલ સુધીમાં શેરડી ખૂબ જૂની થઈ જાય છે. આ સ્થિતિમાં લાંબા સમય સુધી સંગ્રહ કરવાથી ફર્મેટેશન પ્રોસેસ શરૂ થાય છે. આવી શેરડીમાંથી બનેલો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

vtv app promotion
  • કફ અને પાચન પર અસર

યોગ એક્સપર્ટ અનુસાર, માર્ચ અને એપ્રિલ એ પરિવર્તનની ઋતુ છે, જ્યારે શિયાળાથી ઉનાળામાં ટ્રાન્ઝિશન થાય છે. આ દરમિયાન શરીરમાં કફ વધવાની સમસ્યા વધુ હોય છે. શેરડીનો રસ ઠંડો અને મીઠો હોય છે જે કફને વધારી શકે છે. તેનાથી શરદી, ઉધરસ, આળસ અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય તે એસિડિટી અને ત્વચાની સમસ્યાઓ જેવી પાચન સમસ્યાઓને પણ વધારી શકે છે.

  • માર્ચ અને એપ્રિલ મહિનામાં આ વસ્તુઓ ન ખાઓ

યોગ એક્સપર્ટ મુજબ, શેરડીના રસ સિવાય તમારે આ બે મહિના દરમિયાન ખૂબ ફર્મેટેડ ફૂડ એટલે કે ખાટા ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. જેમ કે, વધુ પડતું દહીં ખાવાનું ટાળો. આ સિવાય ભારે અને ઓઈલી ફૂડ ખાવાનું ટાળો. નહીં તો તે પાચન સમસ્યાઓ, આળસ અને ત્વચાની સમસ્યાઓનું કારણ બની શકે છે.

વધુ વાંચો : ગરમીમાં વજન ઘટાડવા માટે પીવો આ 5 ડ્રિંક્સ, થોડા સમયમાં જ લટકતી પેટ જશે અંદર

  • આહારનું કરો પાલન

આયુર્વેદ અનુસાર, તમારે ચૈત્ર મહિનામાં એટલે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં હળવો, તાજો અને સરળતાથી પચે તેવો ખોરાક લેવો જોઈએ. ઉદાહરણ તરીકે સત્તુ, મગની દાળ અને લીલા શાકભાજી. આ સિવાય લીમડાના પાન ખાવાની ભલામણ કરવામાં આવે છે કેમ કે, તેનાથી બોડી ડિટોક્સિફાય થાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sherdi Ras Chaitra Mahino Health Care
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ