બેંકમાં દરેક કસ્ટમરને કેટલાક અધિકાર મળે છે. એને કોઇ છીનવી શકે નહીં. જેમ કે કોઇ પણ બેંક માત્ર પર્મેનેન્ટ એડ્રેસ હોવાના કારણે તમારું ખાતું ખોલવા માટે ના પાડી શકે નહીં. આ જ પ્રકારે કોઇ ગ્રાહકે બેંક પાસેથી લોન લીધી હોય જેના માટે સિક્યોરિટી આપી હોય તો આ મામલે પૂરી લોન ચુકવ્યા બાદ 15 દિવસની અંદર સિક્યોરિટી પાછી મળવી જોઇએ.
આ પ્રકારે બેંક અને તમારી વચ્ચે જે એગ્રીમેન્ટ થયો છે જો એમા કોઇ ફેરફાર થાય છે તો બેંકને ઓછામાં ઓછા 30 દિવસ પહેલા કસ્ટમપને નોટિસ આપવી જોઇએ. બેંત જો કોઇ સુવિધા આપવામાં ના પાડે છે તો ગ્રાહકને એ જાણવાનો હક છે કે એવું કેમ કરવામાં આવે છે? આજે અમે તમને જણાવીએ એવા અધિકાર જે એક બેંક ગ્રાહત તરીકે તમને મળે છે.
- ચેક કલેક્શનમાં મોડું થાય છે તો ગ્રાહકને બેંક પાસેથી વળતર મેળવવાનો અધિકાર છે.
- ગ્રાહકવા અકાઉન્ટમાંથી થયેલા અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન માટે બેંક ગ્રાહકને જવાબદાર ગણાવી શકે નહીં.
- માત્ર પરમેનેન્ટ એડ્રેસ ન હોવાને કારણે કોઇ પણ બેંક તમારું અકાઉન્ટ ઓપન કરવાની ના પાડી શકે નહીં.
- ગ્રાહકની ખાનગી જાણકારીને ગુપ્ત રાખવાની બેંકની જવાબદારી છે. બેંકે એને કોઇ અન્ય સાથે શેર કરી શકે નહીં.
- જાતિ ધર્મ લિંગ વગેરેના આધાર પર બેંક કોઇ પણ સાથે ભેદભાવ કરી શકે નહીં.
- કોઇ પણ વ્યક્તિ NEFT દ્વારા 50 હજાર રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકે છે.