આયુર્વેદ લેખ ચરક સંહિતામાં દૂધ અને અશ્વગંધાને એક સાથે લેવાની વાત કહેવામાં આવી છે. જાણે કેવી રીતે એનું સેવન કરીને તમે ઘણી બિમારીઓથી દૂર રહી શકો છો.
અશ્વગંધાને આયુર્વેદમાં એક ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. અશ્વગંધાનું સેવન કરવાથી કમજોરી, ઊંઘની ખામી, તણાવ, ગઠિયા જેવી બિમારીઓ ઝડપથી દૂર થાય છે. એનો ઉપયોગ માત્ર આયુર્વેદમાં નહીં પરંતુ યૂનાની, આફ્રિકા, ચિકિત્સા, સિદ્ધી ચિકિત્સા વગેરેમાં પણ કરવામાં આવે છે. આયુર્વેદના લેખ ચરક સંહિતામાં દૂધ અને અશ્વગંધાને એક સાથે લેવાની વાત કહેવામાં આવી છે.
વજન ઓછું કરે
દરરોજ એખ ગ્લાસ દૂધમાં એક ચમચી અશ્વગંધા અને મીઠાશ માટે એક ચમચી મધ મિક્સ કરી લો, દરરોજ એનું સેવન કરવાથી તમારું પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરશે. જેનાથી તમારું વજન ઝડપથી ઓછું થશે.
કમજોરીથી મેળવો છુટકારો
અશ્વગંધા અને દૂધ તમારા શરીરને મજબૂત પણ બનાવે છે. એના માટે દરરોજ 2 ગ્રામ અશ્વગંધા પાઉડરની સાથે 125 ગ્રામ ત્રિકાટૂ પાઉડર એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પી લો, તમને થોડાક જ દિવસોમાં ફરક જોવા મળશે.
હાઇ બ્લડ પ્રેશર
જો તમને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમે એનું સેવન કરીને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકો છો. એના માટે 2 ગ્રામ અશ્વગંધા પાઉડરની સાથે 125 ગ્રામ મોટી પિસ્તી અને 1 ગ્લાસ દૂધની સાથે લો.
સારી ઊંઘ
જો તમને દિવસભર થાકથી ભરેલા રહો છો અને રાતે સારી ઊંઘ આવે છે દરરોજ એક ચમચી અશ્વગંધાની સાથે એક ગ્લાસ દૂધ પીવાનું શરૂ કરી દો.
રોગપ્રતિકારક ક્ષમતા વધારે
એમાં એવા ગુણ મળી આવે છે જે તમારા શરીરમાં થનારી કોઇ પણ પોષક તત્વની ખામીને પૂરી કરી દે છે. એટલા માટે દરરોજ એક ચમચી અશ્વગંધા પાઉડરની સાથે એક ગ્લાસ દૂધ પીવો.