બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અમેરિકાની ધમકીથી ગભરાયું ઈરાન! ન્યુક્લિયર પ્લાન્ટ પર વધારી સુરક્ષા, એન્ટ્રી ગેટને માટી નાખીને કર્યો બંધ
Last Updated: 02:30 PM, 30 January 2026
US-Iran Conflict: ઈરાન પર અમેરિકાના હુમલાના ભય વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના સંભવિત હુમલાના ડરથી છેલ્લા 24 કલાકમાં ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટીસ પર ગતિવિધિ વધી ગઈ છે. સેટેલાઇટ ઇમેજિસમાં ઈરાનના શહેર ઇસ્ફહાનમાં ન્યુક્લિયર ફેસિલિટી પર નવી પ્રવૃત્તિ જોવા મળી છે. આ એ જ ન્યુક્લિયર ફેસિલિટી છે, જેના પર ગયા વર્ષે અમેરિકાના હુમલામાં ભારે નુકસાન થયું હતું.
ADVERTISEMENT
ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યુરિટી પ્રમાણે, ઈરાને ફરી એકવાર અંડરગ્રાઉન્ડ પરિસરના મેઇન ગેટને માટીથી ભરી દીધો છે. સાઉથ એન્ટ્રી ગેટ પર પણ તાજી માટી નાખવામાં આવી રહી છે, જેનાથી ત્યાંનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય. માનવામાં આવી રહ્યું છે કે ઈરાન અમેરિકાના સંભવિત હુમલાથી બચવા માટે આમ કરી રહ્યું છે. માહિતી પ્રમાણે, આનો હેતુ લગભગ 408 કિલોગ્રામ સંવર્ધિત યુરેનિયમ ધરાવતી સ્ટોરેજ સુવિધાઓને વધારાની સુરક્ષા પૂરી પાડવાનો છે.
ADVERTISEMENT
આ પહેલા એન્જિનિયરિંગના કામ માટે ઇસ્ફહાનના આ ગેટ્સને અસ્થાયી રૂપે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન, હુમલાની અસરને ઓછી કરવા માટે ટનલને અત્યંત મજબૂત કોંક્રિટથી તૈયાર કરવામાં આવી હતી. ઈરાન લાંબા ગાળાના સંગ્રહ માટે તેના સંવર્ધિત યુરેનિયમને સુરક્ષિત કરવા માટે સમગ્ર વિસ્તારને કિલ્લામાં ફેરવી રહ્યું છે. અહીં અનેક સ્તરે સુરક્ષા મજબૂત બનાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સેટેલાઇટ ઇમેજમાં એમ પણ જોવા મળ્યું છે કે જમીનની ઉપરની ઇમારતમાં પણ કામ ચાલી રહ્યું છે, જ્યાં પહેલા સેન્ટ્રીફ્યુઝ બનાવવામાં આવતા હતા. આ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. સેન્ટ્રીફ્યુઝ એ યુરેનિયમને સંવર્ધિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ખાસ મશીન છે. વધારે સંવર્ધિત યુરેનિયમનો ઉપયોગ પરમાણુ શસ્ત્રો બનાવવા માટે થઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગયા વર્ષના જૂનમાં, અમેરિકા અને ઇઝરાયલે ઇરાનના પરમાણુ પ્રોગ્રામને ટાર્ગેટ કરીને હુમલા કર્યા હતા. બંને દેશોનો આરોપ છે કે ઇરાન નાગરિક પરમાણુ પ્રોગ્રામની આડમાં પરમાણુ બોમ્બ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ આરોપના આધારે, ઇઝરાયલે પહેલા 13 જૂને ઇરાન પર હુમલો કર્યો, અને થોડા દિવસો પછી, અમેરિકા પણ યુદ્ધમાં જોડાઈ ગયું. અમેરિકાએ ઈરાનના નાતાન્ઝ, ફોર્ડો અને ઇસ્ફહાન પરમાણુ પ્લાન્ટ પર બોમ્બમારો કરીને ભારે નુકસાન કર્યું હતું.
આ પણ વાંચો: ટ્રમ્પે વધારી કેનેડાની મુશ્કેલી, વિમાનો પર 50 ટકા ટેરિફ લગાવવાની આપી ધમકી
ADVERTISEMENT
જો કે ઈરાન સતત કહેતું આવ્યું છે કે તેનો પરમાણુ પ્રોગ્રામ માત્ર નાગરિક ઉપયોગ માટે છે અને તે પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું નથી. દરમિયાન, અમેરિકા લાંબા સમયથી તેની શરતો પર પરમાણુ કરારની માંગ કરી રહ્યું છે, પરંતુ વાટાઘાટો આગળ વધી શકી નથી. હવે, ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી બિનશરતી કરારની વાત કરી રહ્યા છે, જ્યારે ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે હુમલાની ધમકીઓ વચ્ચે વાટાઘાટો અશક્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.